Apr 22 2020

બેઠક નં. ૨૦૭ એપ્રિલ ૨૦૨૦ની બેઠકનો અહેવાલઃ શૈલા મુન્શા

Published by at 10:02 am under બેઠકનો અહેવાલ

ગુ.સા.સ.હ્યુસ્ટન બેઠક નં.૨૦૭-અહેવાલ: શૈલા મુન્શા

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૭મી બેઠક, સંસ્થાના મોભી વડીલ શ્રી ધીરૂભાઈ શાહને શ્રધ્ધાંજલિ રૂપે યોજવામાં આવી હતી. શાહ પરિવારના સૌજન્યથી આ ઝુમ વિડિઓ બેઠક હતી. કોરોનાના ભરડામાં અત્યારે જગત ભીંસાઈ રહ્યું છે, અને લોકો ઘર બહાર નીકળી શકતા નથી એ સંજોગોમાં ઝુમ દ્વારા સહુ એકબીજાને જોઈ શકે અને સાંભળી શકે એ વિજ્ઞાનની અણમોલ ભેટ છે.
રવિવાર તા. ૧૯ એપ્રિલ સાંજે ૭.૩૦ વાગે ઝુમ બેઠકનો આરંભ થયો.
સહુ પ્રથમ ગુ.સા.સ.ના પ્રમુખ શૈલાબહેન મુન્શાએ પરિવારજનોને વંદન કરી પ્રાર્થના સભાની શરૂઆત કરી.


ધીરુભાઈ જે દાદાના હુલામણા નામથી વધુ જાણીતા હતાં, એમને શ્રધ્ધાંજલિના સુમન અર્પણ કરતાં કહ્યું કે,દાદા આજે નથી અને છે પણ! પોતાના લખાણો દ્વારા અક્ષર દેહે હમેશ આપણી સાથે રહેશે
વધુમાં દાદાની લેખન પ્રવૃતિ વિશે જણાવતાં કહ્યું કે દાદાના દસ કાવ્યસંગ્રહો છપાયાં અને તેઓ એનુ વિતરણ ભારતમાં હાથોહાથ શાળાઓમાં, લાઈબ્રેરીમા મિત્રો, લેખકોને કરતાં અને હ્યુસ્ટનમાં પણ ગુ.સા.સ. ના સભ્યોને કવરમાં મૂકી ઉપર એમનુ નામ લખી આપતા.
૨૦૦૩માં દાદાની ૮૩મી વર્ષગાંઠ ગુ.સા.સ.એ શ્રી આદિલ મન્સુરીની હાજરીમાં ઊજવી ત્યારે ગુ.સા.સ. ના ઘણા લેખકોએ દાદાને શુભેચ્છા રુપે ચાર પંક્તિઓના કાવ્યપુષ્પ અર્પણ કર્યાં હતાં; તેમાંથી વડીલ અંબુભાઈ દેસાઈ અને ગઝલકાર શ્રી રસિક મેઘાણીની કાવ્ય પંક્તિઓ પણ વાંચી સંભળાવી.

ભાવનાબહેન દેસાઈએ પ્રેમળ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળપ્રાર્થના પોતાના મધુર કંઠે ગાઈ સંભળાવી, સાથે મૃત્યુ વિશે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ફિલોસોફી જણાવી.
“Death is not extinguishing light, it is only putting out of a lamp because dawn has arrived”
દાદાને શ્રધ્ધાંજલિ રૂપ એમની લખેલી બે પંક્તિઓ,
પ્રેમાળ, પ્રેરણા છે સૌના આ દાદા,
વિદાય ક્યાંથી લે, સૌને હૈયે છે દાદા!!

દિપકભાઈ ભટ્ટે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યુઃ દાદા એ અમારા વડીલ મિત્ર હતા અને એમને અમે બાપુજી તરીકે સંબોધતા. વખત જતાં એ જાણે મિત્ર બની ગયા. તે હવે અક્ષરધામમાં પ્રભુ ચરણે છે અને એમના ગુણો આપણે જીવનમાં ઉતારીએ.

દેવિકાબહેન ધ્રુવે ‘ગૂર્જરી ડાયજેસ્ટ’ના  તંત્રી શ્રી કિશોર દેસાઈનો અને બીજાં પણ કેટલાંક બહારથી મળેલા સંદેશાઓ વાંચી સંભળાવ્યા. દાદાની એક રચના ‘તરડાઈ ગયેલો અરીસો” વાંચી અને સ્વરચિત અંજલિ પણ આપી. જેના શબ્દો છેઃ

“વંદન કરી ચરણે તમારા,ભાવથી નમીએ અમે,
શબ્દો તણા ફૂલો ધરી,સાથે મળી ઝુકીએ અમે.”

ડો.કમલેશભાઈભાઈ લુલ્લાએ દાદાને શ્રધ્ધાંજલિ આપતા પોતાનુ વક્તવ્ય અંગ્રેજીમાં વ્યક્ત કર્યું,
“To me dada was an inspiration. He inspired me at many levels. We were all touched by Dada in many ways and we have all our own personal experiences with Dada during his long association with GSS. Some people leave footprints while on this earth, dada Dhirubhai left heart prints.”

મનોજભાઈ મહેતાએ દાદાના ફ્યુનરલમાં દિનેશભાઈના પુત્રવધૂ મેઘાએ કહેલી વાત કે દાદાને જમવા કે આરતી માટે બોલાવીએ તો પહેલો સવાલ એ પૂછે કે કેટલા વાગ્યા?” એના પરથી બહુ સુંદર કાવ્ય સર્જન કર્યું, જેના શબ્દો છે,
જીવન જીવતાં કાંટા ફુલને પૂછે, કેટલા વાગ્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે કેટલા વાગ્યા?”

કલ્પનાબહેન મહેતાએ દાદાને શ્રધ્ધાંજલિ અર્પતા સરસ ભજન સંભળાવ્યું,
શંભુ શરણે પડી માંગું ઘડીએ ઘડી, દુઃખ કાપો,દયા કરી દર્શન પ્રભુ આપો.

ડો. ઈન્દુબહેન શાહે દાદાના ગુણો અને એમનો સૌમ્ય હસતો ચહેરો યાદ કરી પોતાના ભાવ ઊર્મિ કવિતા રુપે સંભળાવ્યા.
ગયેલા પાછા ના આવે કદી,સ્મરણ એમનુ સદા રહેશે.

ભારતીબહેન અને પ્રકાશભાઈ મજમુદારે દાદાને યાદ કરતાં એ પ્રસંગની વાત કરી જ્યાં દાદાના ૯૭મા જન્મદિવસની ઉજવણીમાં ગુ.સા.સ. તરફથી યોજાયેલ બેઠકમાં ગીત ગઝલનો કાર્યક્રમ આપી દાદાના આશીર્વાદ મેળવ્યા હતાં. દાદાને અંજલિ અર્પતાં બન્ને જણે ભજન સંભળાવ્યું.
एक झोलीमें फुल भरे है,एक झोलीमैं कांटे रे!!

ગુ.સા.સ. ના મંત્રી શ્રી સતીશભાઈ કોરોના લોકડાઉનને લીધે ભારતથી પરત આવી શક્યા નથી પણ એમણે શોક સંદેશો મોકલાવ્યો હતો; જે ગુ.સા.સ. ના સહમંત્રી શ્રી મનસુખભાઈ વાઘેલાએ વાંચી સંભળાવ્યો, જેનો સાર હતો:
દાદા ભલે તમે આજે અમારી સાથે નથી પરંતુ મારા અને મારા જેવા ગુ.સા.સ. ના અનેક સભ્યોના દિલમાં તમારું સ્થાન અવશ્ય રહેશે. સાહિત્ય સરિતા માટે તમે સદૈવ પ્રેરણાસ્રોત રહેશો. તેમણે પ્રાર્થના કરી દાદાને ભાવભીની અંજલિ આપી.
બે હાથ જોડી, નાથ પ્રેમે સૌ માંગીએ, જે જીવ આવ્યો આપ પાસે,
શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

વિશ્વદીપભાઈ બારડે દાદાને શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું કે,
આપ ક્યાંય ગયા નથી, અમારી યાદોના કુંજમાં સદૈવ મહેક સમા રહ્યા છો અને રહેશો.
દાદાની કાવ્યપંક્તિ દ્વારા દાદાની વિનમ્રતાની વાત કરી.
મારે નથી થાવું રવિ,
મારે નથી થાવું કવિ,
મારે થાવું છે ધૂળનુ એક ઢેફું”…

પ્રશાંતભાઈ મુન્શાએ જણાવ્યું કે દાદાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવી એ પોતાને વરસતા વરસાદમાં છત્રી વગર ભીંજાવવું નહિ અને કોરાં રહેવું એવી કઠણ પરિસ્થિતિની વાત છે. સંસારમાં રહીને પણ એક કર્મઠ સંતની જેમ કેવી રીતે જીવી શકાય એનો અમૂલ્ય બોધ દાદા આપતાં ગયા. એમના પ્રેમની અમૃત તુલ્ય પ્રસાદી સૌને વહેંચતા અને ફૂલની મહેક પ્રસરાવતા પ્રભુમય થઈ ગયા.

નિખીલભાઈ મહેતાએ હમણાં જ એમના માતુશ્રીની વિદાયનો કપરો ઘા સહ્યો છે અને કોરોનાને લીધે માતાના અંતિમ દર્શન પણ કરી ના શક્યા એ માનસિક આઘાત સમયે સ્વજનની વિદાય વેળાએ આપણે મનુષ્ય છીએ એટલે ભાંગી પડીએ છીએ કહી શાહ પરિવારના દુઃખમાં સહભાગી થતાં એક પ્રાર્થના રજૂ કરી,
હે પ્રભુ,
આ વિપદમાંથી અમને પાર ઊતરવાનુ બળ આપો,
અમને સમતા અને શાંતિ આપો”.
સાથે ભજન પણ સંભળાવ્યું એના શબ્દો આ પ્રમાણે છે,
मोहन तेरे चरणोकी, जो धूल मिल जाये
सच कहेता हुं मेरी तकदीर बदल जाये..

અંતમાં દાદાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતી પ્રાર્થના સભાનુ સમાપન કરતાં પ્રમુખશ્રી શૈલાબહેન મુન્શાએ દાદાની ખોટ હમેશ સાલશે અને જ્યારે પણ વાસ્તવમાં બેઠક માટે ભેગા થાશું ત્યારે દાદાને પ્રેમથી યાદ કરશુ, એ ભાવ સાથે દાદાની દીર્ઘ એક સદીની યાત્રા, એમનો સૌમ્ય, મંદ મુસ્કુરાતો ચહેરો, પ્રૌઢાવસ્થામાં પત્નીનો વિયોગ, એકલતાને મા સરસ્વતીના ચરણે ધરી સાહિત્યની આરાધના કરી જીવનને નવો પ્રવાહ આપી સહુ માટે દ્રષ્ટાંત રુપ બન્યા એ સ્મરણોને યાદ કર્યા. આ યાદગીરી અવિસ્મરણીય રહે માટે દાદાના પરિવારને ગુ.સા.સ. ના સભ્યો તરફથી એક અનોખી ભેટ સ્મૃતિ-પુષ્પ રુપી પુસ્તિકા અર્પણ કરવાનુ નક્કી કર્યું એની જાણ કરી.
દિનેશભાઈના પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખમાં સહભાગી થવાનો આ વિનમ્ર પ્રયાસ છે અને પરિવારજનો માટે પણ આ ભેટ જીવનભરનુ સંભારણુ બની રહેશે એ જ અભ્યર્થના.
ગુ.સા.સ. ના સલાહકાર શ્રીમતી દેવિકાબહેને આ પુસ્તિકાનુ સંકલન, પ્રુફ રીડીંગ વગેરે કરી તૈયાર કરવાની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી એ બદલ ગુ.સા.સ. હમેશ એમનુ ઋણી રહેશે.

 

ૐ શાંતિ શાંતિ શાંતિ!!

 

શૈલા મુન્શા તા.૨૧ એપ્રિલ ૨૦૨૦

 

10 responses so far

10 Responses to “બેઠક નં. ૨૦૭ એપ્રિલ ૨૦૨૦ની બેઠકનો અહેવાલઃ શૈલા મુન્શા”

  1. Bhavana Desai.on 22 Apr 2020 at 10:31 am

    શૈલાબહેન , આપણી પરોક્ષ સભાનું સુંદર વિહંગાવલોકન કરવા બદલ આભાર .

  2. સતિષભાઈ પરીખon 22 Apr 2020 at 10:38 am

    ખરેખર અહેવાલ બહુ અદભુત છે. મોર ના ઈંડા ને કેવી રીતે ચીતરી શકાય. .ગુ સા. સ. સદભાગ્ય છે કે દેવિકાબીન જેવી સક્ષમ વ્યક્તિ આપણી સાહિત્ય સરિતા ના સાંભતા છે અને સાહિત્ય સરિતાનું એકમોરપીંછ છે. સાથે સાથે શૈલાબેન ને પણ સફળ સંચાલન બદલ અભિનંદન આપવા જ pade.

  3. શૈલા મુન્શાon 22 Apr 2020 at 12:22 pm

    ખૂબ આભાર ભાવનાબહેન અને સતીશભાઈ.

  4. ઉત્તમભાઈ ગજ્જરon 26 Apr 2020 at 4:27 pm

    બહેન,
    કરતા જ રહો કામ, આપણે છીએ ત્યાં સુધી….
    પછીનું પછી
    જ્ઞાન પ્રાપ્તિ અને આપણી પ્રસન્નતા માટે આ કરી છીએ એમ માનવાનુ….

  5. જનકભાઈon 26 Apr 2020 at 4:29 pm

    દાદાને વંદન.

  6. ડો. કોકિલા પરીખon 26 Apr 2020 at 4:33 pm

    Great. You & whole team did wonderful presentation for Dhirubhai’s anjali. Deserve a big clap and salute.

  7. Navin Bankeron 26 Apr 2020 at 4:35 pm

    Very good report. Thank you.

  8. Sushila Desaion 26 Apr 2020 at 4:39 pm

    Report is very nicely written. Pranam to Dada. May his soul rest in peace.

  9. Navin Bankeron 26 Apr 2020 at 4:41 pm

    Very good report.

  10. Dr. Kokila Parikhon 26 Apr 2020 at 4:43 pm

    Great. You and whole team did a wonderful presentation for Dhirudada Anjali. Deserve a big clap and salute.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.