Archive for the 'સમાચાર' Category

જૂન (૨૦૦૮)મહીના ની બેઠક

Monday, June 23rd, 2008

 Mukund Gandhi
શ્રી મુકુંદ ગાંધી- પૂ. મોટાભાઈનાં પાત્રમાં

Artists Performing Pu. Motabhai
સંગીતકાર મનોજ મહેતા, મુકુંદભાઈ અને વર્ષાબેન શાહ પત્ર વાંચનની ક્ષણોમાં

Artists Performing Pu. Motabhai 2

પ્રવક્તા નાં પાત્રમાં વર્ષાબેન શાહ અને સોહમનાં પાત્રમાં શ્રી રસેશ દલાલ

Audience 1
નાટ્યમાં તલ્લીન શ્રોતાગણ..વિજય શાહ, સતીશ પરીખ, નિખિલ મહેતા,ફતેહ અલી ચતુર્ સરયુબેન પરીખ, દેવિકાબેન ધ્રુવ અને પ્રશાંત મુનશા. પાછળની હરોળમાં રીધ્ધીબેન દેસાઈ, દીપાબેન દલાલ અને તેમના બેન તથા કનક બેન શાહ નાટક માણી રહ્યાં છે

Audience 2

નાટ્યમાં તલ્લીન રમઝાનભાઈ વિરાણી, હેમંતભાઈ ગજરાવાલા, સુરેશ બક્ષી, ઉમાબેન નગરશેઠ, નીરા બેન શાહ્ ગીરિશ ભાઈ પંડ્યા, પંકજભાઈ દેસાઈ, પૂર્ણીમાબેન ગજરાવાલા, રસિક મેઘાણી રાજેશ દેસાઈ, ભાવિક અને શ્રધ્ધા શાહ નાટક માણી રહ્યાં છે

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક તા. ૨૨ જૂન ૨૦૦૮, રવિવારે શ્રી મુકુંદ ગાંધીને ત્યાં બપોરે ૨ વાગે આયોજાઈ. આ બેઠક્નો વિષય હતો “મારા પિતાજી” જે ફાધર ડે ને અનુલક્ષીને હતો. ધારણા હતીકે માતા ઉપર ઘણુ લખાણ છે પણ પિતા ઉપર ઓછુ લખાણ્ હોય છે તેથી આ વિષય થોડો અઘરો થશે પણ તેવુ ન બન્યુ અને ઘણા લખાણો વંચાયા કેલીફોર્નીયાનાં ડો ચંદ્રવદન મિસ્ત્રી થી માંડીને લાભશંકર ઠાકરનાં પુસ્તક “બાપા વિષે” સુધી ની મજલ ફાધર ડે ને જીવંત કરી ગઈ. પ્રવિણાબેન કડકીયા, દેવિકાબેન ધ્રુવ્, હિંમત શાહ, નુરુદ્દિન દરેડિયા, રમઝાન વિરાણી, સતીષ પરીખ, વિજય શાહ અને વર્ષા શાહે પોતાની પિતાજી વિશે કવિતા કહી, ફતેહઅલી ચતુરે વ્યંગાત્મક રીત આજની પેઢીની વાતો તેમની આગવી છ્ટામાં કહી.

આ બેઠક્નું વિશિષ્ટ પાસુ એ હતું કે ગુજરાતી સાહિત્ય સરિતાએ પહેલી વાર સ્વાયત્તતાનો હેતૂ પુર્ણ કર્યો.. સાત વર્ષ પહેલા આ પરિકલ્પના હતી કે સાહિત્ય સરિતા સંપૂર્ણ સ્વાયત્ત બને એટલે કે એવો પ્રોગ્રામ કરે કે જેમાં સંગીત નાટ્ય અને લેખન ત્રણેય કળાઓને વરેલા સભ્યો સર્વે સર્વા હોય્. આવો એક કાર્યક્રમ આજે યોજાયો. સભ્ય વિજય શાહની વેબ પત્રશ્રેણી “પૂ. મૉટાભાઈ” નાટ્ય સ્વરુપે ભજવાઈ તેનું નાટ્ય રુપાંતર અને ભજવનાર હતા શ્રી મુકુંદ ગાંધી, રસેશ દલાલ અને વર્ષા શાહ અને પાર્શ્વ સંગીત આપ્યુ હતુ શ્રી મનોજ મહેતાએ.

“પૂ. મોટાભાઈ” વેબ પત્ર શ્રેણી માતૃભૂમિ છોડીને પરદેશમાં ઠરીઠામ થયેલા આપણા સૌની કહાણી છે. માતાપિતા કુટુંબની છત્ર છાયા છોડીને આપણે આવ્યા. આજે તેઓ ની વૃધ્ધાવસ્થામાં તેઓ દિકરાઓની હૂંફ ઇચ્છે છે ત્યારે દિકરાઓ તેમના સંતાનો ને પણ તેટલીજ આર્તતા થી ચાહે છ તેથી તેઓ ત્યાં જઈ ને રહી નથી શકતા. બે સંસ્કૃતિ, બે પેઢીઓ વચ્ચેનો આ પ્રવાસ, સહવાસ અને સુંદરતાની સાથે જે ખાલીપો બંને પેઢીનાં માબાપો ભોગવે છે તેની શું ફલશ્રુતિ હોઈ શકે તેની વાતો થી આ નાટ્ય પ્રયોગ તેની ભજવણી દરમ્યાન દરેક નાટ્ય વણાંકો પ્રમાણે સભાગૃહનાં સભ્યો ને તન્મય અને એકરુપ કરી શક્યું હતું સૌ શ્રોતા નાટકનાં દરેકે દરેક પત્રોને વધાવતા જતા હતા. દર્દનાં પ્રસંગે અશ્રુધારા પણ જોવા મળતી હતી. શ્રી મુકુંદ અને મંજુબેન ગાંધીનાં ઘરમાં આયોજીત રંગમંચમાં ભારત અને અમેરીકાનાં ધ્વજ જે તે દેશ અને વેશ દર્શાવતા હતા. સવા કલાકનાં આ નાટક દરમ્યાન સભાગૃહનું રંગમંચ પર ભજવાતા નાટક પ્રત્યે માન ઉંચું હતું તે પત્ર પતે અને પડતી તાળીઓનાં ગુંજારવ થી સિધ્ધ થતુ હતુ.

આભાર વીધી કરતી વખતે વિજય શાહે જણાવ્યુ હતું કે આ પ્રયોગ ગુજરાતી સાહિત્ય સરિતાનાં સભ્યોની હુંફ અને માર્ગદર્શન વગર શક્ય ન બન્યુ હોત. આ આખી વાર્તા અને તેનો નાટ્ય પ્રયોગને ગુજરાતી સહિત્ય સરિતાની વેબ સાઈટ http://gujaratisahityasarita.org ઉપર જોવા મળશે.

 for the News coverage by Gujarat Time Please click here 11_07_2008_007.pdf

-ફતેહ અલી ચતુર
ફોટો સૌજન્ય: સતીશ પરીખ

જૂન ૨૦૦૮ બેઠક

Friday, May 30th, 2008

સાહિત્ય સરિતાનાં સભ્ય મિત્રો
 
જૂન મહીનામાં આવતા ” ફાધર્સ ડે” નિમિત્તે આપણને સૌને વડીલ અને માનનીય મુકુંદભાઈ ગાંધીને ત્યાં બેઠક આયોજવાનુ આમંત્રણ મળ્યુ છે.
 
તા. : ૦૬/૨૨/૨૦૦૮
સમય બપોરે ૨.૦૦ થી ૫.૦૦
સ્થળ 203 Kingfisher Dr
Sugarland, TX  77478
 
ફોનઃ
ઘર નંબર ૨૮૧-૨૪૨-૮૫૮૬
સેલ નંબર ૨૮૧-૬૬૦-૨૫૩૫
 
આ વખતની બેઠકમાં-વિષય-” મારા પિતાજી” રાખેલ છે  જે સભ્યો પોતાની કૃતી રજુ કરવા માંગે છે તેમને વિનંતી કે તેઓ તેમની કૃતિ વિશે અને તેમની હાજરી વિષેની જાણ  કો ઓર્ડીનેટર શ્રી ફતેહઅલી ચતુરને જાણ કરે (૮૩૨)૬૪૩-૮૭૫૩
 
આપણા સભ્ય વિજય શાહની પત્રશ્રેણી “પૂ.મોટાભાઈ” ઉપર વાર્તાલાપ થશે જેની રજુઆત સર્વશ્રી મુકુંદભાઈ ગાંધી રસેશ દલાલ અને વર્ષાબેન શાહ કરશે. પાર્શ્વ સંગીતની જવાબદારી શ્રી મનોજ મહેતા એ લીધી છે.અને સભા સંચાલન વર્ષાબેન શાહ કરશે.
 
આ પ્રોગ્રામમાં આપ સૌ ઉમળકા ભેર હાજર રહેશો તેવી અભિલાષા

વિદ્વાન પ્રો.સુમન શાહ-”ગુજરાતી સાહિત્ય સરિતા”ના આંગણે -અહેવાલ -દેવિકા ધ્રુવ

Tuesday, May 20th, 2008

17મી મેની શનિવાર…બપોરના બરાબર બે વાગ્યે  હ્યુસ્ટનની સાહિત્ય સરીતાના ઉપક્રમે યોજવામાં આવેલ બેઠકમાં, ભારતથી આવેલ પ્રો. સુમન શાહને આમંત્રિત કરવામાં આવ્યાં હતા.દર મહિને નિયમિત રીતે મળતી આ બેઠક, આ વખતે ભાઇ શ્રી અક્બરઅલી અને અમીનાબેન નરસીના નિવાસસ્થાને ગોઠવવામાંઆવી હતી.પ્રારંભમાં શ્રી રસિક મેઘાણીએ કાર્યક્રમની રૂપરેખાનો આછો ખ્યાલ આપ્યો હતો.તે પછી સર્યૂબેન પરીખની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ હ્યુસ્ટનના સ્થાનિક લેખક અને કવિ પ્રો. સુમન અજ્મેરીએ , બે સુમન ની શબ્દરમત કરતા કરતા, શ્રોતાજનોને પ્રો.સુમન શાહનો વિશેષ પરિચય આપ્યો.. (more…)

મે ૨૦૦૮ બેઠક

Saturday, April 26th, 2008

Mitro,
 
It is our great pleasure to inform you that we have invited Professor Dr. Suman Shah from India as our guest on May17th to our GSS meeting. He is very learned and having tremendous knowledge on Gujarati literature. He is a Head of the department in Gujarat University, Ahmadabad and also Chief editor of a successful Gujarati magazine namely “KHEVANA”.  He has written several books and has received several awards.
 
We are sure that everyone will enjoy his knowledge.
 
His detailed achievements are attached herewith.
 
We are also thankful to our own member Mr.& Mrs.Akbar ali & Amina Narsi, who has invited all for holding GSS monthly meeting at his residence.
 
ON :- SATURDAY 17th MAY ‘08
AT:- 2.00pm - 5.00pm
 
SPEAKERS:-

1)Prof. Suman Shah ( From India)

2) Rasik Meghani                    

 3)Prof. Suman Ajmeri

4) Himansu Bhatt (Dallas, TX)
 

Phone:-  832 606 3535
Email:-  akbaralinarsi@yahoo.com
 
Dear friends,
If all of us can R.S.V.P. with the host of the month, it will be very convinient for them to make the necessary arrangements.
Please email or call Akbarali Narsi at the above email address or phone number.
 
Appreciate your help.
 
Thank you ;

Regards
 
Fatehali Chatur & Prashant Munshaw.
 

એપ્રીલ ૨૦૦૮ બેઠક

Wednesday, March 12th, 2008

Mitro,

The report of our March’08 Sahitya sarita Bethak is now available on our website.
Please go on www.gujaratisahityasarita.org

We are pleased to inform you that our new member, Dirghayu & Manisha Vaishnav have invited us at their home for the next month’s GSS bethak.

When: Sunday, April 6Th 2008 at 2.00pm
Master of ceremony: Mr. Dirghayu Vaishnav
Theme /Subject: April Fool (FOOL) OR April Phool (FLOWER) The choice is yours….!

Please Contact one of the following if you are presenting any article.
Fatehali Chatur (832) 643 8753 betterbargaininc@yahoo.com
Prashant Munshaw (281) 914 6838 pmunshaw@hotmail.com
Dirghayu vaishnav (281) 403 1043 Dave.Vaishnav@kbr.com

Since this circular is sent to you more than 3 weeks before the event, we recommend you to please mark your calender or flag the email so you may not forget.

Thanks & Regards

Fatehali Chatur
Prashant Munshaw

ગુજરાતી ગઝલ અંતાક્ષરી - વિડિયો

Tuesday, March 11th, 2008

ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા ગુજરાતી ભાષાને સતત જીવંત રાખવાના પ્રયાસ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતુ હોય છે. તેના જ એક ભાગરૂપે ગુજરાતી ગઝલની અંતાક્ષરીનો કાર્યક્રમ ૧લી માર્ચ ૨૦૦૮ ના રોજ યોજાયો હતો જેનો સંપુર્ણ વિડિયો નીચે અહીં ઊપલબ્ધ છે.

You need to a flashplayer enabled browser to view this YouTube video

You need to a flashplayer enabled browser to view this YouTube video

You need to a flashplayer enabled browser to view this YouTube video

You need to a flashplayer enabled browser to view this YouTube video

આ શેર અંતાક્ષરીનાં સર્જક પ્રો. સુમન અજમેરીનો પણ મુદ્રણ પરવાનગીઆપવા બદલ આભાર
આ શેર અંતાક્ષરી ટાઈપ કરી અત્રે રજુ કરવા બદલ દેવીકાબેન ધ્રુવ નો આભાર.

     *****************************       *************************

ઢમ ઢમ બાજે ઢોલ નગારાં, યારો રમવા આવો;
શેર,ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો..        ( પ્રો.સુમન અજમેરી  )   
 
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.                  ( આદિલ મનસુરી )
 
લાખ વર્ષો બાદ લાગી બદદૂઆ ડૂબનારની,
સાગરો સુકાઇ જઇને રણ બિચારા થઇ ગયાં..           ( બેફામ )
 
યા પ્યારથી એને પંપાળો, યા ક્રુર થઇને ધૂત્કારો,
આ લોકે રહે કે પરલોકે,સાગર તો તમારો કહેવાશે.     ( સાગર કુતિયાનવી )
 
શૂન્ય,મારી જીંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ આ ગુજરાતની.           (શૂન્ય પાલનપુરી )
 
ન ધરા સુધી ન ગગન સુધી ,નહીં ઉન્નતિ ન પતન સુધી,
પણ આપણે તો જવું હતું,બસ એકમેકના મન સુધી.    ( ગની દહીંવાલા )
 
ધરમનું નામ દઇ શાને પીવાડો પ્રેમની પડીકી ?
જશે રહેંસાઇ માસુમો,નરાધમ હિંસ્રની ધરતી.             ( પ્રો.સુમન અજમેરી )
 
તને કોણે કીધું કે હું રંક છું,નથી રંક રાયનો રાય છું.
મને તોળ સત્યને છાબડે કે હું સત્યલોકનો ન્યાય છું.   ( અમૃત ઘાયલ )
 
છૂટી લટ ,ગુલાબી ચહેરો,આંખમાં શરમ,
પ્રિયે,છબીમાં યે તું કેવી શરમાયા કરે ?                    ( નઝીર શાયર )
 
રસમ અહીંની જુદી,નિયમ સાવ જુદા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.                           ( મનોજ ખંડેરિયા )
 
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.                     ( મરીઝ ) 
 
છે ભીડ અહીં એકલતાની ને શહેર છે આ સન્નાટાનું,
ને નામ વગરના સ્ટેશનનો સંભાવ લઇને દોડું છું.      ( પ્રફુલ્લા વોરા )
 
છે આબરુનો પ્રશ્ન,ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઇ કે આંખો સજલ હતી..                  (  અમૃત ઘાયલ  )
 
તું ઢાળ ઢોળિયો ને હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.                    ( મનોજ ખંડેરિયા )
 
ન ધર્મભેદ છે એમાં, ન એની જાત મરીઝ,
આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે કે રામ રામ ગઝલ ?  ( મરીઝ )
 
લઇને હવે સાતેય અશ્વોને પલાણો આપણે
કે નપુંસક નીકળ્યો છે,શ્વાસ નામે સારથી.               (હરીશ ધોળી )
 
થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી,
ઇર્શાદ આપણે તો ઇશ્વરના નામે વાણી.                  ( ડો.ચીનુ મોદી )
 
નવાઇ તો છે કે ઉંડાણો ય છીછરા નીકળે,
કોઇ મનુષ્યની અંદર ડૂબી શકાતું નથી.                 ( રમેશ પારેખ )
 
થાકીને સાંજને ટાણે ‘રસિક’ બેસવું પડ્યું,
નહીંતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા.            ( રસિક મેઘાણી )
 
તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી,
હું જ મારાથી હજું કેટલો યે દૂર છું.                        (  કિસ્મત કુરેશી )
  
છે હ્ર્દય ને આંખની ભાષા અલગ,
કોણ કોની આપશે ઓળખ હવે.                              ( અહમદ ગુલ )
 
વેશ બદલી રોજ તું આવે રઇશ એની સમીપ,
જિંદગી ચાલાક છે,હરદમ પિછાણી જાય છે.           (  ડો.રઇશ મણિયાર )
 
છે દિશાઓ ધુંધળી ને મંઝિલો નથી,
શ્વાસના બળતા ધખારે ક્યાં લગી જાશું ?              (  આહમદ મકરાણી )
 
શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને,
રસ્તો ભૂલી ગયો ને દિશા ફરી ગઇ.                     ( ગની દહીંવાલા )
 
ઇશ્વરની મૂઠ્ઠીમાંથી જે છટકી ગઇ કદી,
તે તો માણસ નામની જણસ હતી.                      ( ભગવતીકુમાર શર્મા )   
 
તું મને એક ઝાંઝવું સમજે કે સમજે વાદળું,
આંગણે તારે વરસવા આ જનમ લીધો હતો.         ( ડો.અશરફ ડબ્બાવાલા )    
 
તોય હું ભરવા મથું આખી નદી,
જીંદગી છે સાવ કાણી બાલદી.                           ( અશોકપુરી ગોસ્વામી )
 
દીધો’તો સ્વર્ગમાંથી જાકારો હે પ્રભુ,
બીજે ક્યાં જાય,નર્ક ભણી આદમી ગયાં.               ( મરીઝ )
 
યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું,ઓગળી જઇશ.            ( હરીન્દ્ર દવે )
 
શમાની વાત કરશો ના, દીવાની લૌને રોકે ફો’ ?
ભરી પરવાનને પાંખે જલીને રાખ થાવું છે.           ( પ્રો. સુમન અજમેરી )
 
છે હરણની ફાળ જેવા ઓરતા,
ને અરણમાં કચબો પાળ્યો તમે.                          ( કરસનદાસ લુહાર )
 
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસથી તો હજે કળ વળી નથી.             ( જલન માતરી )
 
થાકી ગયો તો હું કે ચાલી શકત ન હું,
સારુ થયું કે લોક તો ઉંચકી ગયા મને.                ( કૈલાસ પંડિત )
 
નજર લાગી હજારો વાર હળવા ફૂલ હૈયાને,
કહો પાષાણ દિલને કોઇની ક્યારે નજર લાગી?     ( વિશ્વરથ )
 
ગળેથી જરા ઉતરી કે તોફાની થઇ ગઇ,
હતી જામમાં સાવ સાદી મદિરા !                       ( મરીઝ )
 
રંગબેરંગી જીવનના રંગ છે,
જાઉં છું  ખીલવા ને ખરતો જાઉં છું.                      ( અમૃત ઘાયલ )
 
છાંય મળતી જાય પડછાયા વગર,
ગીતમાં સરતો રહું ગાયા વગર.                      (  મનોજ ખંડેરિયા )
 
રોજ એના એજ સાલા ફેફસાં વેંઢારવા,
રોજ એનું એ જ જીવ પર આવવું,શું ચીજ છે ?  ( રમેશ પારેખ )
 
છેક પરપોટા સમી છે જીંદગી પણ,
નિત ઝરણાંની ગતિ છલછલ છલકવું.               ( ગુણવંત ઉપાધ્યાય )
 
વિરાટ પંથમાં થાકી વિરામ કરવા પણ,
પરાઇ ભીંતના છાંયે કદી નથી બેઠા.                 ( રસિક મેઘાણી )
 
ઠાઠ ભપકા એ જ ઇર્શાદના હવે
ઘર બળે તો તાપી લેવું જોઇએ.                         ( ડો. ચિનુ મોદી )
 
એ જ મુસાફિર જગમાં સાચો જેની પાછળ મંઝિલ ભટકે,
દીપ પતંગને કોઇ ન રોકે,પ્રીત અમારી સૌને ખટકે.     ( આસિમ રાંદેરી )
 
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.               ( જલન માતરી )
 
થઇ જાય પાંચે આંગળીઓ તુર્ત કાગડો,
મુઠ્ઠી તમે એ શહેરમાં ખોલીને શું કરો ?                    ( રમેશ પારેખ )
 
રડ્યું નથી છતાં ઓછપે ઘવાયું છે,
સવારનું આભ આમ ઝંખવાયુ છે.                             ( ડો. હેમંત દેસાઇ )
 
છું સતત અચરજ સ્વયં અસ્તિત્વ પર,
તું તપાવે તોયે હું તું જ પર ઠરું.                              ( અગમ પાલનપુરી )
 
રમું છું રંગીન મોસમની સાથે,તો ક્યારેક સંગીન જોખમની સાથે,
સરળતાથી ચાલું છું મુશ્કેલ પંથે,મને એવી આ જીંદગાની ગમે છે. ( શેખાદમ આબુવાલા )
 
છો હતી દુ:ખના સંકજામાં અમારી જીંદગાની,
તોય કો’ દિ હામ ખોઇ,ન કો’ દિ’ હાર માની.              ( રિન્દ ગુજરાતી )
 
ન ગગન ફરેબ આપે, ન ધરા ફરેબ આપે,
જો હ્ર્દય ફરેબ આપે,તો બધા ફરેબ આપે.               ( અબ્દુલ રઝાક ‘રશ્ક’ )
 
પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે. (શૂન્ય પાલનપુરી )
 
છે ગજું કોનું કે સીમા-કદ કશું માપી શકે ?
ધરતીના પેટાળથી આભે ચઢી છે જીંદગી.             ( અંબાલાલ ડાયર )  
 
ગુનામાં ભાર હોતે તો દબાઇ રે’તે તળિયામાં,
અભાગી લાશ છે,તરતી રહી દરિયાના સીના પર.   ( શવકીન જેતપુરી )
 
રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર, ને  મારી હાજરી ન્હોતી.    ( બેફામ ) 
 
તમારા આ નાજુક પગોની ફિકર છે,
અમારા નગરની છે પથરાળ સડકો.                       (દીપક બારડોલીકર )
 
કંકુ પગલે થઇ કસુંબલ કોરે આ કાળજાની કાંચળી સરકી પડી,
ઉગતું એકાંત મારું પાંપણે આપને જોયા પછી થથરી ગયુ      (બાબુ દિલજલા )
 
યૌવનના ઘોડાપુરમાં સમજાય ક્યાં કશું ?
ત્યારે તો રોમે રોમમાં ઉન્માદ હોય છે.               (આદિલ મનસુરી )
 
છે અકળ બધી એની હિલચાલો બધી,
મન સમું છે કોણ બીજું મુત્સદ્દી ?                       (અશોકપુરી ગોસ્વામી )
 
દર્દ ઘૂંટાયું જિગરમાં એટલું,ઠેઠ લગ એ ઝેર થઇ વકરી ગયું,
મોત પણ મારી દશાને જોઇએ શોકમાં ડૂબી મને વિસરી ગયું.  ( બાબુ દિલજલા )
 
યુગયુગથી પીએ સરિતા,સાગર તોયે પ્યાસો છે,
નહીંતર મેઘો ઉમટે ના કેકારવ છલકાયો છે.      (દીપક બારડોલીકર )
 
છે સલામત સ્વપ્ન કોનું વિશ્વમાં ?
ક્યાં સિકંદરની કશી છાયા મળે ?                   ( ચંદુ મહેસાનવી )
 
લાખ સૃષ્ટિની સુરાહી છલકાયા કરે,
જીંદગી પીનારની તળિયા વિનાનું જામ છે.    ( શૂન્ય પાલનપુરી )
 
છે હયાતી ચીજ એવી અજનબી,
ચીંથરામાં હોય જાણે કો’ નવાબ !                  ( આહમદ મકરાણી )
 
બને તો એમને કહેજો ખુશ્બૂ મ્યાનમાં રાખે,
બગીચામાં હમણાં બધા ફૂલોની ઘાત ચાલે છે. ( મનહર મોદી )
 
છણકો કરીને ઠેક લો તો ચાલમાં ગઝલ,
ને ઝાંઝરી રણકી ઉઠે તો પાયમાં ગઝલ.           ( યોસેફ મેકવાન )
 
લાગણીઓની સુલતાની પર રાજ કહો કોનું ચાલ્યું?
રચનારની એક કળી જીતી ગઇ ઝાંઝરના ઝણકારથી. ( ગોપાળ શાસ્ત્રી )
 
થઇ ધાડપાડુ ત્રાટકે સાહિલ ભલે સમય,
ટહૂકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.                    ( સાહિલ )
 
છે કાળ તો કાલીય નાગ જેવો,
થતું ઝેર સૌ જે હવે એ અડે છે.                             ( ઉશનસ )
 
છું શાંત અને ગંભીર ભલે, શરમાળ છે મારાં તીર ભલે,
ઓ પૂનમ, ઘૂંઘટ જરા ખોલ, હું એ જ છલકતો સાગર છું. ( શેખાદમ આબુવાલા )
 
છોડી રહ્યો છું આજ હું આ બંધિયાર વિશ્વને,
કાયમના માટે કોણ રહે આ કારાવાસમાં ?             ( ઘાયલ કુતિયાનવી )
 
મત્સ્ય ક્યાં જળવટું લઇને જશે ?
કાંઠે રેતીના પારાવાર ઉભા.                                ( ડો. રશીદ મીર )
 
ભલે ભપકા ભરેલો છું,છતાં અંગાર વેચું છું,
તને નીચો નમાવે એ બધો આભાર વેચું છું.           ( મનહર મોદી )
 
છેક તળિયેથી ઉલેચાવું પડે,
શબ્દને સમજાવવો સહેલો નથી.                         ( નટવર વ્યાસ )
 
થઇ ગયો એક જ ચમત્કારે તું  ઇશ્વર,
મને માનવ થતાં બહું વાર લાગી.                       ( જિગર ટંકારવી )
 
ગુલાબી શીત પાલવને પ્રસારો તો ઘણું સારું,
ગરમ કિરણોને ગાળીને હજી હમણાં જ આવ્યો છું.  (  ડો. એસ. એસ. રાહી )
 
છતાં મુજ પૂર્ણતામાં ‘શૈલ’ ઓછી થાય છે કૈં પણ
સનાતન શૂન્યમાં અસ્તિત્વ મારું નિત્ય ખોઉં છું.   ( શૈલ પાલનપુરી )
 
છણા થાપું,નાણા થાપું,થાપું આંખે અંધારાં,
તોય તને ક્યાં પામું ?ભૂંડા આયખાને ડંગોળી લૌ.  ( પ્રો.સુમન અજમેરી )
 
લેશ પણ ભય ના સૂકાવાનો રહે,
માંયલો જેનો સમંદર સાત છે.                            ( ડો.ઉષા ઉપાધ્યાય )
 
છો હોય તે દૂર ગગન પર,ને હોય સર્વવ્યાપી,
અદભૂત સ્પર્શવાનું સૂરજ સમું તમારું.                 ( સંધ્યા ભટ્ટ )
 
રાત-દિ ઝૂલે વસંતી લ્હેર મધુવનમાં ભલે,
મ્હેંક મબલખ માણવાને શ્વાસ જેવું જોઇએ.          ( સુશીલ પાલનપુરી )
 
એ જ તું ને એ જ હું,એ જ ઓશીકે આજ તો સૂતાં ફેરવી મોંઢાં
તણખા ઝરે,બરડા અડે,અણજાણે ટકરાય દો લોઢાં.  ( જગદીશ વ્યાસ )
 
ઢબૂક્યાં ઢોલ ચોરે અમે ગુલમ્હોર પીધો.
ખુશીથી ખોબે ખોબે અમે ગુલમ્હોરે પીધો.             ( દીપક બારડોલીકર )
 
 
*********************************************************************

માર્ચ ૨૦૦૮ ની બેઠકનો અહેવાલ- ફતેહઅલી ચતુર-પ્રશાંત મુન્શા

Sunday, March 9th, 2008

માર્ચની પહેલી તારીખે યોજાયેલી ગુજરાતી સાહિત્યસરિતાની ૭૨ મી બેઠક નુ આયોજન શાંગ્રિલા આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં ત્રણ પ્રસંગોમાં બે લલિત કળાઓનો અદભુત સંગમ યોજાયો હતો. ભારતમાં જન્મેલા અને અમેરિકામાં વસેલા ચિત્રકારોના ચિત્રોનુ પ્રદર્શન ( કે જેમા આપણા ચિત્રકાર મિત્ર અને સભ્ય વિનોદ પટેલનાં પણ ચિત્રો રજુ થયા હતા) અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક અને કવિઓની કવિતાનો રસાસ્વદ સાથે શેર અન્તાક્ષરી ભાગ-૨ માં ૫૭ જેટલા જાણીતા અને માનવંતા ગઝલકારોનાં શેરોની રમઝટ.

રંગબેરંગી રંગોના સાનિધ્યમા પ્રશાન્તભાઈએ સભાની શરુઆત સહુ મહેમાનો ને આવકારી ને કરી, અને પ્રકાશભાઈ મજમુદારને પ્રાર્થના માટે આવકાર્યા. પ્રકાશભાઈએ કવિ નાનાલાલ ની પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” ભાવવાહી સ્વરે ગાઈને સભાનુ મંગળાચરણ કર્યું. સર્વ વક્તા અને શ્રોતાઓએ પણ સુર પુરાવ્યો.

ત્યારબાદ પ્રશાન્તભાઈએ દેવિકાબેનને આવકારી સભાનુ સંચાલન પદ ગ્રહણ કરવા વિનંતી કરી.

દેવિકાબેને કવિઓના નામ ની ચિઠ્ઠી બનાવી હતી અને જે પ્રમાણે નામ નીકળે એ પ્રમાણે કવિ પોતાની કૃતિ રજુ કરે એ પ્રથા રાખી હતી.બેઠક્નો વિષય હતો “નજર”

સૌ પ્રથમ હેમંતભાઈ ગજરાવાલા નો વારો આવ્યો. એમણે યુવાવસ્થાથી એમના જીવનમા મહત્વનો ભાગ ભજવનાર વ્યક્તિ ની નજર . “તારી નજરે યુવા મનને સપના દર્શાવ્યા થી માંડી ને ત્રીજા નેત્ર સુધીની વાત સરસ રીતે કાવ્યમા વણી લીધી. દેવિકાબેને સરસ પંક્તિઓ એ માટે રજુ કરી “મળી મળી ને પડી વિખુટી નજર તમારી મળી શકીના.” આગળ ધપતા દેવિકાબેને મનોજભાઈને કૃતિ રજુ કરવા આમંત્ર્યા. મનોજભાઈએ નજરને કર્તાનુ રુપ આપી લગતા વિશેષણોની વાત કરી.”નજર સારી, નજર ખરાબ, વગેરે ગઝલ રજુ કરી.

“નજર નજર મા ફરક પડે છે,
શોલા મળે ક બરફ મળે છે.”

દેવિકાબેને ગઝલને બિરદાવતા નજરના જુદાજુદા નજારાની વાત કરી. અને ડો વિવેક ટેલર ની કવિતા “ફાંસ”ની એક નજર “ભર બપોરે ભર મેળામા નજરુની વાગી ગઈ ફાંસ.” રજુ કરી ત્યારબાદ પ્રશાન્તભાઈનુ નામ નીકળતા એમણે આપણા બહુ જાણીતા કવિ કરસનદાસ માણેકનુ ખુબ જ જાણીતું કાવ્ય “તે દિન આંસુભીના રે હરિના લોચનિયા મે દીઠા” સંભળાવ્યુ સાથે દુનિયાની વિષમતા ની વાત કરી. આ પછી વિજયભાઈએ એમના ત્રીસ વર્ષના લગ્નજીવન પર લખાયેલું એમનુ કાવ્ય “પેલી સારસ બેલડી સરકે સંગસંગ” સુંદર રીતે રજુ કર્યુ. આ પછી ફતેહઅલીભાઈએ” જીંદગી” પર નાનકડું કાવ્ય

“જિંદગી એક કિતાબ હૈ, આકારમે દિલસી,
પવિત્ર ગીતા, કુરાન, બાઈબલ જૈસી”

રજુ કરી. પ્રકાશભાઈએ શુન્યપાલનપુરી ની ગઝલ “નજર મેળવીશું ને ખોવાઈ જાશુ” ભાવવાહી સ્વરે સહુને સંભળાવી. એનો પ્રત્યુત્તર આપતા દેવિકાબેને નજરુ મેળવવાની વાત પર ” નયનમાં જો કોઈની નજર ના હોત” ની વાત કરી મુરબ્બી ધીરુભાઈ શાહે ગાંધી નિર્વાણ દિન અને યુધ્ધના સૈનિકો પર પોતાની રચના રજુ કરી. સુમનભાઈ અજમેરીએ “પનિહારી” પર નુ ગીત રજુ કરી ગ્રામ્ય જીવનનુ દર્શન કરાવ્યુ અને “જવાની જ્વાળ થઈ જાશે” ગઝલ રજુ કરી. ત્યારબાદ આપણા સહુના જાણીતા વિશાલ મોણપરાએ “તને જોઈ જોઈ તો પણ તુ અજાણી” કાવ્ય ની પંક્તિઓ રજુ કરી.ચીમનભાઈએ

“કરે કથામા વાતો લોકો કારણો વગર
અને બગાડે સમય પોતાનો કારણો વગર”

સંભળાવી સહુને હાસ્ય તરબોળ કર્યા.

જ્યારે રસિક મેઘાણીએ નાના બે શેર અને એક ગઝલ ગાઈને રજુ કરી.

“પલક પલક પાંખડી ના ગુલાબ જેવા નયન તમારા,
છે કાળી કાળી લટોની સાથે વદન ની શોભા નયન તમારા.”

દેવિકાબેને શબ્દારંભે અક્ષર એક” નો નવતર પ્રયોગ રજુ કર્યો અને “ન” અક્ષર પરથી શબ્દ શરુ થાય એમ આખુ કાવ્ય રચ્યું.

“નીલમ નામે નાર નવેલી,
નાજુક નમણી નખશિખ નિરાળી”

નમણાશ થી રજુ કર્યુ. શૈલાબેને “દ્રષ્ટિ” કાવ્ય જે હળવાશ થી શરુ થઈને દ્રષ્ટિ ની ગહનતા પર સહુને લઈ ગયુ એ રજુ કર્યું. છેવટે અશોકભાઈ પટેલે નાના બે મુક્તક રજુ કર્યા.

આ રીતે દેવિકાબેને સભાના કાવ્યમય પ્રથમ દોરની સમયસર પુર્ણાહુતી કરી વિજયભાઈને શેર અન્તાક્ષરી ની બાગડોર સોંપી.આ અન્તાક્ષરીના એક પક્ષમાં દેવિકાબેન્ ધ્રુવ , શૈલાબેન્ મુન્શા રસિક્ભાઈ મેઘાણી અને ચિમનભાઈ પટેલ અને બીજા પક્ષમાં મનોજભાઈ મહેતા, અશોક્ભાઈ પટેલ્, સુરેશભાઈ બક્ષી તથા ગીતાબેન ભટ્ટૅ ભાગ લીધો હતો.

આપ સર્વેને જણાવતા અમને આનાંદ થાય છે કે આ કાર્યક્રમ VIDEO માં અહીં ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટ પર મુકાયો છે. જેનો જીવંત અનુભવ આપ સૌ માણી શકશો.

શ્રી વિનોદ પટેલ ના સુચનથી હાજર રહેલા તમામ કવિ મિત્રોએ ત્યાં દિવાલો પર મુકાયેલ ચિત્રો પર પોતાની બે થી ચાર પંકતિના શીઘ્ર મુક્તકો રજુ કર્યાં જેનો વિગતવાર અહેવાલ આપ અહીં માણો. આ વિષયે ગુજરાત ટાઈમ્સે લીધેલી નોંધ જુઓ

ફત્તેહ અલીભાઈએ સૌનો અભાર માનીને સભાની પુર્ણાહુતી કરી.

ફત્તેહ અલી-પ્રશાંત મુન્શા

ગુજરાતી ગઝલ અંતાક્ષરીનો વિડિયો અહીં ઊપલબ્ધ છે.

March 2008 Bethak

Tuesday, February 19th, 2008

We are happy to inform you that our next GSS Bethak will be held at the following place and time..
Mr. Atul Vir, of Shangri-La Art Gallery has consented to be the Host of the function.
After our meeting adjourns (around 4.30pm) The opening ceremony of the 1st Show for local artists of Indian origin will be held at 5.00 pm in which all GSS members are also invited.
 
Two Excitements of this function:-
1) Our ex president of Gujarati Samaj Mr. Vinod Patel will be exhibiting his paintings at the show.
2) Antaxari- 2
 
Date:- Saturday 1st March 2008
Time:- 2.00 pm
Place:- Shangri-La Art Gallery 2801 W. Sam Houston Pkwy N, Suite 188 Houston TX 77043
           

Tel:- 713 933 1488
Web: www.ShangriLaArts.com
Direction:- EZ Tag Building - Southbound on Beltway 8 West between Hammerly & Kempwood (North of I-10)

Subject / Theme:-  N A J A R (નજર)
Master of Ceremoney :- Devikaben Dhruva
 
Please contact for your presentation of item / Rachna
Devikaben Dhruva:- 281 415 5169 ddhruva1948@yahoo.com
Fatehali Chatur:- 832 643 8753 betterbargaininc@yahoo.com
Prashant Munshaw:- 832 242 1596 pmunshaw@hotmail.com
 
Thanks & Regards
 
Fatehali Chatur &
Prashant Munshaw

ગુજરાતી સાહિત્ય સરિતાની ફેબ્રુઆરી બેઠક

Wednesday, February 13th, 2008

ગુજરાતી સાહિત્ય સરિતાની ફેબ્રુઆરી બેઠકનુ આયોજન ચીમનભાઈ ને ત્યાં યોજાયું હતું. ચીમનભાઈએ સભાનુ સંચાલન પણ સંભાળ્યુ હતું ચીમનભાઈ અને નિયંતિકા બેનનો બે બાબત માટે ખાસ આભાર માનવાનો. એક તો બેઠક નુ આયોજન એમના ઘરે રાખવા બદલ, અને બીજું ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટનુ પાંચ વર્ષનુ લવાજમ જે ૯૫ ડોલર થાય છે તે સ્વેચ્છા એ એમણે પોતે આપવાનુ જાહેર કર્યું એ બદલ સર્વ સભ્યો વતી ખુબ આભાર.
બેઠક ની શરુઆત રસિકભાઈ મેઘાણી થી થઈ. તાજેતરમા એમની દિકરીના લગ્ન પ્રસંગે રચાયેલું કાવ્ય “સુના બધા પડી ગયા તારા ગયા પછી” બધાની આંખ ભિજવી ગયું. બીજી ગઝલ હજી પણ તમારી યાદને તરસે ઘણી સરસ રહી. પ્રકાશભાઈએ ત્રણ અવસ્થા ના પ્રેમ નુ ગીત સુંદર રીતે ગાઈને રજું કર્યું. વિશ્વદિપભાઈએ “velentine’s Day નિમિત્તે “I will be there” કાવ્ય રેખા એમની (સહચારિણી)ને સમર્પિત કર્યું. વિજયભાઈએ હનિફ સાહિલ ની રચના પ્રણય અને આધ્યાત્મ પર અને “કબુલ મને” બે કાવ્યો રજુ કર્યા. પ્રવિણાબેને પ્રેમ વિશે સુંદર લેખ રજુ કર્યો અને પ્રેમ ને ઉપમા પ્રભુની કે પ્રેયસીની વિશે વાત કરી. શૈલાબેને પ્રેમ કાંઈ ત્રાજવે તોળાતો નથી એ તો બસ થઈ જાય છે નુ કાવ્ય રજુ કર્યું. સુમનભાઈ અજમેરી એ “આંધિ થઈને વાત ઊડી” ના કાવ્ય દ્વારા ગ્રામ્ય જીવન નુ દર્શન કરાવ્યું અને પાંચ નાગલી નુ કાવ્ય રજુ કર્યુ. દેવિકાબેને પ્રેમ અને પ્રક્રુતિ નિ વાત કરી. ચીમનભાઈએ હાસ્ય ગઝલ “આ ઊમ્મરે પ્રેમમા પડવું ક્યાં સહેલુ છે?” ની વાત કરી. ભગવાનદાસ ભાઈએ વેણીભાઈ પુરોહિત નુ જાણીતું ગીત “તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી” ગાઈને રજુ કર્યું અને સહુએ ગાવામા સુર પુરાવ્યો. નવા સભ્ય નુરુદ્દીન ભાઈએ સુરેશ દલાલ,બેફામ, અને ઘાયલ ના કવ્ય ગઝલ માથી થોડી પંક્તિઓ રજુ કરી. ફતેહ અલીભાઈએ એક ગીત “આવ એકવાર તને ફરિથી જોઈ લઉ” ભાવવાહી સ્વરે રજુ કર્યુ.
પ્રેમ વિષય પર આમ સુંદર કાવ્યો અને લેખ સાંભળવા મળ્યા. વિજયભાઈએ અંતાક્ષરી ના કાર્યક્રમ માટે નવા સુચનો રજુ કર્યા જેમા ગીત અંતાક્ષરી નુ ભવિષ્યમા આયોજન કરવાની દરખાસ્ત મુકી. માર્ચ ની બેઠકમા ફરિવાર શેર અંતાક્ષરી રજુ થશે.
આ બેઠક નો કાર્યક્રમ ઘણો સફળ રહ્યો અને સમયસર પુરો થયો. સહુ સભ્યો ચીમનભાઈ અને નિયંતિકાબેન ની મહેમાનગતિ માણીને છુટા પડ્ય

કવિ ઇન્દ્ર શાહ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક માં

Wednesday, December 12th, 2007

2007નાં વર્ષની છેલ્લી બેઠક આ વખતે શ્રી કિરણ અને નીરા શાહને ત્યાં પહેલા શનીવારને પહેલી ડીસેમ્બરે બપોરે 3.00 વાગે યોજાઇ સમયસર શરુ થયેલી બેઠકમાં મહેમાન કવિ ઇન્દ્ર શાહ અને મીના શાહ સાથે ઓસ્ટીનથી શકુંતલા દેસાઇ, ડો.નીલીમા અને નીખીલ મહેતા પધાર્યા હતા. દરેક બેઠકની જેમ આ બેથક્માં પણ સંખ્યા 40 જેટલી હતી.નીરાબહેને સૌનું સ્વાગત કર્યુ. દીપક્ભાઇ ભટ્ટે દરેક સભ્યોની ઓળખ ઇન્દ્રભાઇ સાથે કરાવી.

કવિ ઇન્દ્ર શાહ મૂળે વકીલ એટલે શબ્દોનાં ધનવાન અને ભાવોનાં ઉત્તમ ખેલાડી તેથી તેમને તેમના કાવ્યો વાંચવા ઇજન અપાય તે પહેલા તેમનો પરિચય આપવાનું કામ મારા માથે હતુ.વેબ જગતમાં મેં તેમના કાવ્ય ‘બેફીકરાઇ’ નો આસ્વાદ કરાવ્યો હતો ત્યારે તેમના મોતીનાં દાણા જેવા સ્વ્હસ્તાક્ષરે લખેલ “બે ફૂલ” થી હું પરિચિત હતો તેથી તેની નોંધ લઇ તેમના 1971 થી અહીંનાં લાંબાં અમેરિકન અનુભવોને ..તેમના ઓશો વાંચન ને અને જૈન તિર્થંકરો વિશેની તેમની માન્યતાઓને માન આપી તેમને તેમના કાવ્ય પઠન માટે આમંત્રણ અપાયુ.

અર્ધો કલાક્નાં તેમના પઠનમાં તેમણે તેમના કાવ્યસંગ્રહ ” ગોરખ ગોપાલમ”માંથી કેટલાંક કાવ્યો વાંચ્યા જેમા-’ગધેડો’ ‘ચહેરો’ અને ‘ગોરખગોપાલમ’ સૌને ગમ્યા.અન્ય કવિ મિત્રો સર્વ શ્રી સુમન અજ્મેરી. રસિક મેઘાણી,ધીરુભાઇ શાહ,અશોક પટેલ,મુકુંદ ગાંધી,વિજય શાહ,કિરીટ મોદી,શૈલા મુંશા,પ્રવિણા કડકીયા,નીરા શાહ અને દેવિકાબેન ધ્રુવે પણ પોતાની કૃતિઓ રજુ કરી હતી. મહેમાન કવિયત્રી શકુંતલા દેસાઇએ પણ પોતાનુ અંગ્રેજી કાવ્ય સંભળાવ્યુ હતુ.

ગુજરાતી સાહિત્ય સરિતાની શીસ્તબધ્ધતા અને સમયની ચુસ્તતાને મહેમાનો એ વખાણી..અને સાહિત્યની જાણવણીનું કાર્ય અહીં સારી રીતે થાય છે તેવો આનંદનો સુર ઇન્દ્રભાઇનો અને અન્ય મહેમાનો નો હતો. દીપક્ભાઇ એ યજમાન મહેમાન અને સૌ સભ્યોનો આભાર માનીને બેઠક સંપન્ન કરી હતી.

કિરણ શાહ અને નીરા શાહનું આતિથ્ય માણી સૌ સાંજે 6 વાગે છુટા પડ્યા