Aug 18 2024

બેઠક નં ૨૫૯ઃ ઑગષ્ટ ૨૦૨૪ઃ અહેવાલઃ

Published by at 7:07 pm under Uncategorized

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં. ૨૫૯ઃ
અહેવાલઃ નરેન્દ્ર વેદ

સંપાદનઃ દેવિકા ધ્રુવ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની સાહિત્યિક બેઠક નં. ૨૫૯, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૪ને શનિવારે સુગરલેન્ડના ઇમ્પીરિયલ કૉમ્યુનિટિ સેન્ટરમાં યોજાઈ હતી. ગરમ ચા અને બિસ્કિટ સાથે સભ્યોએ પોતાની જગ્યા લીધી.
સંસ્થાના સચિવ નરેન્દ્ર વેદે બેઠક્ના સૂત્રધારની જવાબદારી સંભાળી અને અવનીબહેન મહેતાએ સરસ્વતી-વંદના ગાઈને બેઠકની શરૂઆત કરી.
નિર્ધારિત  કાર્યસૂચી પ્રમાણે, સભ્યો ગુજરાતીમાં સરળતાથી ટાઇપ કરતા થાય તે માટે દેવિકાબહેન ધ્રુવે  વ્યવસ્થિત રીતે અને ખૂબ વિગતવાર રીતે રજૂઆત કરી હતી. આ બેઠક તે સમયે એક પ્રકારની વર્કશોપ/ શિબિર જેવી બની રહી અને હાજર રહેલ સૌ સભ્યોએ રસપૂર્વક આખી રજૂઆત માણી. તેમના ઘણા બધા પ્રશ્નોના વિગતવાર જવાબો  દેવિકાબહેને આપ્યા હતા. સંસ્થાના જૂના સભ્ય વિશાલ મોણપરાએ પ્રમુખપેડને અથાગ પ્રયત્ન અને સંશોધન પછી ભારતની વિવિધ ભાષાના યુનિકોડ ફોન્ટ્સને કીબોર્ડમાં કંડારી, અગણિત લોકોને વિવિધ માધ્યમ વાપરી સરળતાથી ટાઇપ કરતા કર્યા છે. ગુજરાતી સાહિત્ય જગત તેનું ઋણી રહેશે. દેવિકાબહેન જેવા ભારતીય ડાયસ્પોરાના મોટા ભાગના કૃતિકારો આ જ ફૉન્ટ વાપરે છે. આ ફૉન્ટ આપણી વેબસાઇટ પરથી પણ વાપરી શકાય.  

ત્યારબાદ દેવિકાબહેને આપણી વેબસાઇટની વિગતવાત સફર કરાવી અને તેની વિવિધ શ્રેણીઓની માહિતી બતાવી. તેમણે બધાને પોતાના પ્રતિભાવો ત્યાં જ  Comment બોક્સમાં આપવા પ્રેર્યા. 

ત્યારબાદ નિશ્ચિત્ત કરેલ અન્ય વિષય “માનવ સ્વાતંત્ર્ય અને તેની પરિસીમા” તરફ બેઠક આગળ વધી. નરેન્દ્ર વેદે યાદ અપાવ્યું કે આગામી ચુંટણીનાં પરિણામોની અસર ફક્ત આ દેશમાં જ નહિં પણ સમસ્ત વિશ્વમાં ઘણા વર્ષ સુધી રહેશે. તેથી બધા નાગરીકોની વિવેક્બુદ્ધિથી કરેલ મતદાન અગત્યનો ભાગ ભજવશે. 

સીતાબહેન કાપડીઆએ આ જ  વિષય પર કહ્યું “જો તમને હસવાની સ્વતંત્રતા જોઈતી હોય તો બીજાને પણ હસવાની છૂટ આપવી જોઈએ. તો જ વિવાદ, હિંસા સુધી ન વધે.” આ જ વિષય પર દેવિકાબહેને, શ્રી ચંદ્રકાંત બક્ષીના સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય પર લખાયેલ પુસ્તક ‘આભંગ’ માંથી નીચે મુજબ એક નાનકડો અંશ વાંચ્યો હતો કે,
સ્વતંત્રતા જન્મજાત છે, એ માણસને અપાયેલી છે. માણસને ‘સ્વતંત્ર ન થવાની’ પણ સ્વતંત્રતા નથી. ઈશ્વર વગરની દુનિયામાં માણસ એ સ્વાતંત્ર્યનો ઉપયોગ કરે છે;  સ્વતંત્રતા બે-લગામ બને છે અને  પોકારે છે: ‘સ્વાતંત્ર્ય ભયાવહ છે’ – Freedom is terror. ”
આગળ વધી તેમણે આ જ વિષય પર પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.

નીતીનભાઈ વ્યાસે તેમની પેરિસની સફરની યાદગાર વાતો સૌ સાથે આનંદપૂર્વક રજૂ કરી હતી.

બેઠકને અંતે સમૂહ ફોટો પડાવી બધાં ભાઈબહેનો હળવો નાસ્તો કરી છૂટાં પડયાં. આ બેઠકમાં મનીષાબેન મહેતા હાંડવો બનાવી લાવ્યાં હતાં અને જયંતભાઈ પટેલે હંમેશની માફ્ક ફોટોગ્રાફી કરી હતી. બંનેનો ખૂબ આભાર.
આમ, આજની બેઠક વિશેષ પ્રકારની બની રહી.

 –નરેન્દ્ર વેદ
તા. ઑગષ્ટ ૯,૨૦૨૪

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.