May 27 2025
૨૬૯મી બેઠક
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી ૨૬૯મી બેઠક
રવિવાર, જૂન ૮, બપોરે ૩ થી ૬
Clyde and Nancy Jacks Conference Center
3232 Austin Parkway, Sugar Land, TX 77479
વિષયઃ બાલાશંકર કંથારીયાની અદભુત કવિતા જે આપણે નિશાળમાં ભણ્યાં હતાં તેમાંથી તમારી મનપસંદ એક અથવા એકથી વધુ કડી પર ટૂંકમાં તમારા વિચારો રજૂ કરવાના છે. તે કડીનો નંબર અમને અગાઉથી ઈમેલથી જણાવવા વિનંતિ છે.
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે -૧
દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે – ૨
કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે – ૩
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે – ૪
રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ કહેજે – ૫
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે – ૬
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લેજે
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે – ૭
કટુ વાણી જો તું સુણે વાણી મીઠી તું કહેજે
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે – ૮
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો
ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે – ૯
અહો શું પ્રેમમાં રાચે? નહિ ત્યાં સત્ય તું પામે!
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે – ૧૦
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે – ૧૧
વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી
વફાદારી બતાવા ત્યાં નહિ કોઈ પળે જાજે – ૧૨
રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે – ૧૩
પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે – ૧૪
કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમ્મેશાં ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે – ૧૫
~ બાલાશંકર કંથારીયા
આશા છે કે વધુમાં વધુ સભ્યો રજૂઆત કરવા તૈયાર થશે.
તમારી હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com પર વહેલી તકે કરવાનું ચૂકશો નહિ.
આ બેઠકની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે. તો સભ્યોને વિનંતિ છે કે તેઓ ૨:૩૦ સુધીમા ત્યાં હાજર રહે.
નવા સભ્યોને વિનંતિ કે તેમના નામ, ફોન, ઈમેલની માહિતિ પ્રવેશદ્વારે verify જરુરથી કરે.
૨૦૨૫ના વર્ષની ફી જો ભરવાની બાકી હોય તો પ્રવેશદ્વારે ભરી શક્શો.
એપ્રિલ અને મે ની બેઠક ના અહેવાલ ફોટા સાથે નીચેની link પર વાંચી શક્શો અને તમારી comments ત્યાં મૂકી શકો છો.
આ સાથે હસમુખભાઈ દોશીએ મોકલેલ નાનકડી પુસ્તિકા તમારી સાથે share કરીએ છીએ. આશા છે કે તમને ગમશે.
આભાર.
નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906