Apr 09 2023

૨૪૨ બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં.૨૪૨નું આયોજન તારીખ ૨૩ માર્ચ, ૨૦૨૩ ના રોજ બપોરે ૧ઃ૩૦ થી ૪ઃ૦૦ દરમ્યાન સુગરલેન્ડ પાર્ક એન્ડ રીકરીએશન ખાતે કરવામાં આવ્યું હતું

સૌ સભ્યો બરાબર ૧ઃ૩૦ વાગ્યે હાજર થઈ ગયા હતા.   પહેલા ગરમાગરમ ચા અનેબિસ્કિટ નો આનંદ લઈ ૨ઃ૦૦ વાગ્યે સભાની શરૂઆત થઈ. સૌ પ્રથમ પ્રમુખ શ્રી ભારતીબહેને ઉપપ્રમુખ મીનાબેહેનને પ્રાર્થનાથી  શરૂઆત કરવા જણાવ્યું. હોળીનો વિષય હોવાને કારણે મીનાબેને   કેટલાક હોળીના રસિયા ગાયા. સાથે શ્રી પ્રકાશભાઈ અને ભારતીબેનહેને કોરસમાં સાથ આપ્યો. પછી મીનાબહેને “હોળીના રસિયા” વિષે થોડી સમજણ આપી.

ત્યાર પછી પ્રમુખશ્રીએ ૨૪૨મી બેઠકમાં સૌ સભ્યોનું સ્વાગત કર્યું, અને જરૂરી સુચનાઓ આપી હોળીના તહેવાર વિષે થોડી રજૂઆત કરી:

હોળી – ફાગણ મહિનો :
“ફાગણનો ફાગ,અને ટહૂકાનો સાદ, પછી મલકાયા વિના તે કેમ રહીએ,
કામણ કીધા છે કેસૂડે એવા કે,  મહેક્યા વિના તે કેમ રહિએ !
બીજાને રંગવા માટે, પોતે રંગાઈ જવું જરૂરી છે.
આવું મહાન સત્ય સમજવા માટે, ફાગણનું સર્જન થયું છે
ફિક્કા પડી ગયેલા સંબંધોમાં, રંગ-રોગાન કરવાનો અવસર એટલે હોળી”

સૌને હોળી પર્વની હાર્દિક શુભેચ્છાઓ!

એ પછી શૈલાબાહેને હોળી પર પોતાની લખેલી કવિતા સંભળાવી;
“ફૂટી એક કુંપળ, ને આવી વસંત,
ટહૂકી એક કુંપળ ને લાવી વસંત,
ભૂલાય એ પાનખર, ખીલતી વસંત,
સમીર સંગ ખુશ્બૂ ને ફેલાવતી વસંત”
અને એમણે એક હિન્દી કવિતા પણ સંભળાવી.

ત્યાર પછી શ્રી પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટે પોતાની લખેલી એક કૃતિ સંભળાવી;
“મળેલા માનવ દેહના જીવને કર્મનો સંબંધ,
પ્રભુકૃપા જીવને સમયે મુક્તિ આપી જાય”

પછી શ્રી મનોજભાઈ મહેતાએ “મનુજ હ્યુસ્તનવી”
“બે પગલાં ચાલ્યા તમે, પણ બે બીજા પગલાં ચાલ્યા નહીં,
માંડવડાના વાંસડાના આંસુ ખર્યા, બોલ્યા નહીં”
અને બીજી હાસ્ય રચના;”એવું પણ બની શકે” સંભળાવી ને બધાને હાસ્યમાં તરબોળ કરી દીધાં.

એ પછી પ્રમુખ શ્રીએ આજના મુખ્ય મહેમાન, ડૉ.સરિતા મહેતાનું સ્વાગત કરી એમનો ટૂંક પરિચય આપ્યો અને સભાનો દોર એમને સોંપ્યો.

લગભગ 25 મિનિટ સુધી હોળી, ફાગણ, ચૈત્રની નવરાત્રી અને બીજાં ઘણા વિષય  ઉપર હિન્દીમાં બોલી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં. એમના તાજેતરમાં લખાયેલા બે પુસ્તકો “દિવ્ય સરિતા ” અને “ઉન્મુખ ઉડાન” ની પ્રેરણા ક્યાંથી થઈ તે પણ સમજાવ્યું.
બાદમાં શ્રી પ્રકાશ મજમુદાર અને ભારતી મજમુદારે ” હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ ” ગીત સંભળાવ્યું.
છેલ્લે સરિતાજીએ સ્પોન્સર કરેલી નાસ્તાની વાનગીઓ; બુંદીના લાડુ, ચવાણું અને બિસ્કિટ વિ.નો આનંદ લઈ સર્વે છૂટા પડ્યા.

-અહેવાલ: ભારતી મજમુદાર, પ્રમુખ

૨૩ માર્ચ, ૨૦૨૩

 

One response so far

One Response to “૨૪૨ બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનો અહેવાલ”

  1. શૈલા મુન્શાon 25 May 2023 at 2:26 am

    સરસ અહેવાલ.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.