Oct 25 2021
બેઠક ક્રમાંક ૨૨૫ નો અહેવાલ
બેઠક ક્રમાંક ૨૨૫ નો અહેવાલઃ
કોન્ફરન્સ દ્વારા, આપણા આમંત્રણને માન આપી જોડાયા.
પદ રાગ ભટીયાર માં રજુ કયું.
આશિતભાઇ સાથે તબલા પર સંગતમાં હતા સંગીતકાર શ્રી આલાપ દેસાઈ. આ પદ પરંપરાગત ઢાળમાં પણ આશિતભાઇ એ ગાયું, શ્રોતાગણ માટે આમ આ યાદગાર ક્ષણો રહી.
ડો. શ્રી જવાહરભાઈ બક્ષીને બિરદાવતાં આશિતભાઇએ કહ્યું “હવે તો શ્રી નરસિંહ મહેતાને સ્વરચિત પદો માટે માહિતી જોઈતી હે તો તે પણ ડૉ. બક્ષી ને પૂછે”
અને પછી “”નરસિંહ મહેતાનું જીવન અને કવન”. ઉપર નો તેમનાં વાર્તાલાપ શરુ થયો.
નરસિંહ મહેતાની ‘જળકમળ છાંડી જાને બાળા..’, ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા ..’ જેવી અનેક રચનાઓમાં વણાયેલી ગૂઢ આધ્યાત્મિકતા તથા તેમાં પ્રકટ વૈજ્ઞાનિકતાને શસ્ત્રાધાર ટાંકી , વૈજ્ઞાનિક સંશોધનોનું પ્રમાણ રજૂ કરતાં જવાહર બક્ષી કહે છે : “ નરસિંહ મહેતા બિનસાંપ્રદાયિક કવિ છે , ઋષિ છે, અવધૂત છે, યોગી છે.” ડો. બક્ષી ની પોતાની એક બોલવાની એક આગવી છટા છે, કોઈ વાત રીપીટ ન થાય, શબ્દો ખુબ સાદા અને સમજાવવાની અનોખી પણ સરળ રીત.
આવો ખુબ રસપ્રદ જાણકારીવાળો વાર્તાલાપ પૂરો થયો ત્યારે બે કલ્લાક ઉપરનો સમય વીતી ગયો હતો તેનો કોઈને ખ્યાલ ન રહ્યો.
શ્રી નિખિલ મહેતાએ આભાર વિધિ કરી.
ચારુ વ્યાસ ૨૫ ઓક્ટોબર ૨૦૨૧