Aug 14 2009

વાચનયાત્રાના વિરલ યાત્રી શ્રી મહેન્દ્ર મેઘાણીનો હ્યુસ્ટનમાં કાર્યક્રમ:

100_1558

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનું ધ્યેય:”પરદેશમાં આપણી ગુજરાતી માતૃભાષા અને સંસ્કૃતી જીવંત રહે.” એ ધ્યેયને સિધ્ધ કરવા ગુજરાતમાંથી પધારતા આપણાં મૂલ્યવાન સાહિત્યકારોને આમંત્રિત કરી તેનો લાભ લેવો.આજ શુભહેતુ સાથે આપણા સાહિત્યના પ્રખર વાચનયાત્રાના વિરલ યાત્રી શ્રી મહેન્દ્ર મેઘાણી સાહેબને આમંત્રિત કર્યા. હ્યુસ્ટનમાં તેમના ત્રણ દિવસના રોકાણ દરમ્યાન, ત્રણ બેઠકનું આયોજન કરવામાં આવેલ. ઓગષ્ટ ૮મી શ્રી મધુસુદન દેસાઈ,ઓગષ્ટ,૯મી ગાંધી લાયબ્રેરી,આર્યસમાજ હોલ અને ચીન્મીયા મીશન,જેમાં હ્યસ્ટનવાસીઓએ ઉમળકાભેર હાજરી આપેલ.
ઓગષ્ટ,૮, ૨૦૦૯મીએ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના સાહિત્યપ્રેમી શ્રી મધુસુદન-ભારતી દેસાઈના નિવાસ્થાને બેઠકનું આયોજન બપોરના બે વાગે રાખેલ અને બહુંજ સારી સંખ્યામાં હ્યસ્ટનવાસીઓ એ હાજરી આપેલ.કાર્યક્રમની શરૂયાત યજમાનશ્રી મધુસુદn સૌ અત્રે પધારેલ મહેમાનોનું સ્વાગત સાથે એમના પત્નિ શ્રીમતી ભારતીબેનના મધુર કંઠે ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે” સૌ શ્રોતાજનોના તાલ સાથે ગવાયું. ગુજરાતી સહિત્ય સરિતાના સંચાલક શ્રી વિશ્વદીપ બારડે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનો પરિચય આપતાં કહ્યું: “મારે મહેન્દ્રભાઈનો પરિચય આપવો એટલે સૂરજ સામે કોડીયું ધરવા સમાન છે,એતો મારા પિતા સમાન છે .મહેન્દ્રભાઈ લોક-સાહિત્યના પિતા શ્રી ઝવેરચંદ મેઘાણીના જેષ્ટ પુત્ર છે જેમનો મોટાભાગનો આભ્યાસકાળ ભાવનગર અને મુંબઈમાં પસાર થયો છે.એમણે આ જીવન ઘણાં પુસ્તકોનું સંપાદન કરેલ છે, “ગાંધીવાદ”ને બદલે “ગાંધીપ્રેમ” માર્ગ અપનાવ્યો, ૨૫ વર્ષની ઉંમરે અમેરિકા કોલંબસ યુનિવર્સિટીમાં જર્નાલીઝમનો અભ્યાસ અર્થે આવેલ. ઝ્ડપથી વધી રહેલા વિશ્વ અને સમયને લક્ષમાં રાખીશ્રી મહેન્દ્રભાઈ એ ‘ગાંધીજીની આત્મકથા” તેમજ “દક્ષિણ આફ્રીકામા સત્યાગ્રહ” બન્ને પુસ્તકોના ૧૦૦૦ ઉપર પાના થાય છે તેનું સંપાદન કરી ૨૫૦ પાનાનું” સ્ટોરી ઓફ ગાંધીજી” ઈગ્લીશ તેમજ ગુજરાતીમાં સંપાદન કરી પુસ્તક પ્રકાશિત કર્યુ એ ઘણું મહત્વ અને અગત્યનું કાર્ય કર્યું છે.એમના વિષે કહું એટલું ઓછું છે તો હવે સભાનો દોર શ્રી મહેન્દ્રભાઈ ને આપું છે”

૮૭ વયના શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સાહેબમાં એટલીજ તાજગી અને ઉત્સાહ સાથે ગાંધીજી વિશે એમની આત્મ-કથામાંથી ” વાચન કરતા ગાંધીજીનું બાળપણ એક ઉદાર પિતા અને સાધવી સમાન કઠણ વૃતધારી માતાના સંસ્કારો વચ્ચે પસાર થયુ. નાનપણથી શરમાળ ગાંધીજી”શ્રવણની પિતૃભક્તિ” જેવા પુસ્ત્કનું વાંચન અને “સત્યવાદી રાજા હરિષચંદ્ર” એમનું પ્રિય નાટક અનેકવાર જોયું અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો.૧૩વર્ષની કુમળી ઉંમરે કસ્તુરબા સાથે ગાંધીજાના લગ્ન થયા.ગાંધીજીનો આદર્શ” જે વાંચ્યું તે પસંદ ન પડે તો ભુલી જવું અને પડે તો જીવનમાં ઉતારવું”.ગાંધીજી કસરત માટે જતા , કોઈ ફાયદો ના થયો પણ એમને ખુલ્લી હવામાં ફરવા જવાની ટેવ પડી ગઈ, દક્ષિણ આફીકા ગયા પછી એમના ખરાબ અક્ષર છે એનો પસ્તાવો થયો. ગાંધીજીને અહિંસાનો પાઠ શાંત અને ક્ષમાશીલ પિતા પાસે થી મળ્યો.સંપૂર્ણ શાકાહારી ગાંધીજીને વિલાયતમાં ખાવાની ખણીજ તકલીફ વેઠવી પડી. કદી માંસ ન ખાવાનું એવું માત-પિતાને આપેલ વચન એમને સંપૂર્ણ પણે પાળ્યું.શબ્દોની કરકસર કરનારા ગાંધીજી કદી કરેલ ભાષણો અને લખાણોના એક શબ્દ માટે કદી પસ્તાવો નથી કરવો પડ્યો.આ ઉપરાંત મહેન્દ્રભાઈ એ કાકા કાલેલકરનું”બાપુની ઝાંખી” પુસ્તકમાંથી વાંચન કરેલ..”સારા ખેલાડી બનવું, હું એક કુશળ માળી છું, દોષો શોધવા અઘરા નથી પણ નજરે પડેલ દોષને ફેંકી દેવા અઘરા છે.”સન્યાસ એ માનસિક વસ્તું છે એને ભગવા વસ્ત્રો સાથે સંબંધ નથી”
ત્યારબાદ રવિન્દનાથ ટાગોરની ચિંતન કણીકામાંથી””આપણે આરંભ કરીએ છીએ..પુરુ કરતા નથી”.”દેશના લોકોને આપણે પૈસા આપીએ, સમય આપી એ, જીવન પણ આપીએ..પણ હ્ર્દય આપી શકતા નથી.એવા ઘણાં ચોટદાર કણીકાઓ વાંચી અંતમાં એમના પિતા ઝવેરચંદ મેઘાણી વિશે વાંચતા કહ્યું :”ઝવેરચંદ મેઘાણીએ પચાસ વર્ષની ઉંમરે ૭૫ જેટલાં પુસ્તકો લખ્યા છે.એમનુ અવસાન ૧૯૪૭માં થયું.ઉમાશંકર જોશી” મેઘાણી સૌરાષ્ટ્રના વીરોને અમર કરવામાં, લોકહ્ર્દયના તાલે તાલે એમનું હૈયું નાચ્યું સુંદરમ: મેઘાણી એટલે “લોક કવિના વારસ”

મહેન્દ્રભાઈ સમયની સાથે અને ઘડીયાળના કાંટા પર નજર રાખતા રાખતા, “ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણી” વિગેરે વિષયોની દોઢ કલાકમાં આવરી લીધા.શ્રોતાજનોને રસપ્રદ માહિતી મળી ખુશ-ખુશાલ થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ત્યારબાદ થોડી પ્રશ્નોતરી થઈ અને શ્રીમતી બારોટે ઝવેરચંદ મેઘાણીનું “ચારણ કન્યા” ગીત ગાઈ સૌને ભાવ-વિભોર બનાવી દીધા.સાહિત્ય સરિતાના ખજાનચી અને સંવેદનશીલ શ્રી હેમંતભાઈ ગજરાવાલા એ ‘ સૌનો આભાર” વ્યકત કર્યો.શ્રી વિશ્વદીપે સભાના અંતમાં યજમાનશ્રી મધુસુદન અને ભારતી દેસાઈનો આભાર વ્યકત કરતા કહ્યું” સાહિત્ય સરિતાની બેઠક આપને ત્યાં યોજવાની તક સાથે ભોજનનીપણ વ્યવસ્થા કરવા બદલ અમો સૌ આપના અભારી છીએ.

-અહેવાલ: વિશ્વદીપ બારડ, હ્યુસ્ટન, ટેક્ષાસ

One response so far

One Response to “વાચનયાત્રાના વિરલ યાત્રી શ્રી મહેન્દ્ર મેઘાણીનો હ્યુસ્ટનમાં કાર્યક્રમ:”

  1. shailamunshawon 15 Aug 2009 at 10:14 am

    સરસ અહેવાલ.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.