Sep 21 2018
ગુજરાતી સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ બેઠક #૧૮૯
હ્યુસ્ટનની સાહિત્ય સરિતાએ ઉજવ્યો ‘કાવ્યોત્સવ’-અહેવાલ–દેવિકા ધ્રુવ… સપ્ટેમ્બર21 તા.૧૫મી સપ્ટે. ૨૦૧૮ને શનિવારના રોજ હ્યુસ્ટનના પ્રેક્ષા મેડિટેશન સેન્ટરના હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનનો ભવ્ય કાવ્યોત્સવ ઉજવાઈ ગયો. આ બેઠકના અતિથિ વિશેષ હતાં મુંબઈના જાણીતા કવિ અને મંચના મહારથી શ્રી મુકેશ જોશી અને અમદાવાદના યુવાન કવિ અને રજૂઆતના રાજવી શ્રી અનિલ ચાવડા. બરાબર બે વાગે સંસ્થાના હાલના પ્રમુખ શ્રી સતીશ પરીખના ઉદ્બોધન, સૂત્રધાર ઈનાબેન પટેલ દ્વારા સ્વાગત અને પ્રેક્ષા મેડિટેશનની પ્રારંભિક માહિતી, પ્રાર્થના વગેરે વિધિ પછી સંસ્થાનાસલાહકાર અને મુખ્ય દાતા શ્રી હસમુખભાઈ દોશીને તેમની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ચિન્મયામિશનના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ નાણાવટી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તે પછી ભગવતીકુમાર શર્માની કાયમી વિદાય અંગે મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ ડો.ૠચાબેન શેઠે સરસ્વતીની પ્રાર્થના કરી અને પ્રમુખ શ્રીએ સંસ્થાનો પરિચય આપ્યો. કવિઓના પરિચય માટેદેવિકાબહેન ધ્રુવે બંને કવિઓની કવિતાઓને ખૂબીપૂર્વક ટાંકી, સવિશેષ પરિચય આપ્યો. તે પછીપ્રમુખ–ઉપપ્રમુખ દ્વારા કવિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. જેમની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે શ્રી મુકેશ જોશીએ ‘ઘાયલ’ના મુક્તકથી શરૂઆત કરીકે,”જીવન જેવું જોઉં છું તેવું કાગળ પર ઉતારું છું. ઉતારું […]