Nov 20 2016
ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક -૧૬૮ – અહેવાલ – શૈલા મુન્શા
ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૮મી બેઠકનુ આયોજન સુગરલેન્ડના કોમ્યુનીટી સેન્ટરમા તા ૧૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ યોજવામા આવ્યું હતું. આ બેઠકના મુખ્ય મહેમાન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો. બળવંતભાઈ જાની હતા. સાહિત્ય સરિતાના પ્રમુખ ઈન્દુબેન શાહે મહેમાનને આવકાર્યા અને સમુહ પ્રાર્થનાથી બેઠકનો શુભારંભ કર્યો. મુખ્ય મહેમાનની મહેચ્છા મુજબ સભાના પ્રથમ દોરમા હ્યુસ્ટનના કવિ,લેખકોએ પોતાની કૃતિની રજુઆત કરી. […]