Dec 10 2017
મીટીંગનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૯મી બેઠકનો અહેવાલ
શ્રી. નવીન બેન્કર-
૧૮મી નવેમ્બરે બપોરે ૨ થી ૫ દરમ્યાન. સુગરલેન્ડના માલ્ટેજ રોડ પરના કોમ્યુનિટી સેન્ટર ખાતે, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૯મી બેઠક યોજવામાં આવી હતી.
સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતિષ પરીખે, ચાલુ માસમાં, બે સભ્યો-શ્રી.અશોક પટેલ અને શ્રીમતિ નીતાબેન મહેતાના દુઃખદ અવસાન અંગે માહિતી આપી અને તેમને અંજલિ આપતા બે શબ્દો કહ્યા. શરૂઆતના પ્રથમ દૌરમાં,અન્ય સભ્યોએ સદગતને અંજલિ આપી હતી. શ્રી. વિનોદ પટેલે , હસમુખભાઇ દોશીએ તથા શ્રી. હેમંત ગજરાવાળાએ, સ્વ. અશોકભાઇ સાથેના સંસ્મરણો વાગોળ્યા. તો જ્યોતિબેન વ્યાસે સ્વ. નીતાબેન સાથેના સંસ્મરણો ભાવુકતાપુર્વક યાદ કર્યા. પ્રવિણાબેન કડકિયાએ પણ બન્ને ને અંજલિ આપી હતી. નીતાબેનના નાના ભાઈ શ્રી. ગિરીશ પંડ્યાએ પણ તેમના સદગત બહેન અંગે બે શબ્દો કહ્યા હતા. બન્ને દિવંગત ના સુપુત્રોએ તેમના સદગત વડીલો માટે અંજલિ આપનારા અને બે શબ્દો કહેનારા તથા ઉપસ્થિત રહેનારા સભ્યોનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના બીજા દૌરમાં, સંસ્થાના કેટલાક આગેવાન સર્જકો- શ્રી. ચીમનભાઇ પટેલ, શ્રી. પ્રદીપ બ્રહ્મભટ્ટ, વગેરે એ પોતાની કૃતિઓ રજુ કરી હતી. હસમુખરાય પટેલે દીવાળી અને દેવદેવાળીનું મહાત્મ્ય કહ્યું હતુ, શ્રી. સતિષ પરીખે દીનેશ પાંચાલનું કાવ્ય ‘કાયમ દિવાળી’ વાંચ્યું હતું. પીઢ લેખક ધીરૂભાઇ શાહે મોહન અને મોહનદાસ ગાંધી વિશે વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમના ત્રીજા દૌરમાં,મહાત્મા ગાંધી છવાઇ ગયા હતા . ડોક્ટર કમલેશ લુલા, શ્રી અતુલ કોઠારી અને શ્રી. નિખીલ મહેતાએ આ દૌરમાં મહાત્મા ગાંધીજીની દાંડીકુચ, અસહકાર આંદોલન, મીઠાનો સત્યાગ્રહ , મહાત્મા ગાંધી મ્યુઝીયમ, ગાંધીજી પર અસર કરનારા ચાર ગુરૂઓ અને ગાંધીએ જેમના પર અસર કરી હતી એવા વિશ્વના મહાન પુરૂષોની વાતો રજુ કરી હતી.
જરા વધુ વિગતવાર વાત કરીએ તો-