Archive for the 'સમાચાર' Category

May 10 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૩

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૩મી બેઠકની ઉજવણી ‘વિશ્વપ્રવાસિની’ પ્રીતિ સેનગુપ્તા સાથે..અહેવાલ નવીન બેંકર  તા.૧૮ માર્ચ,૨૦૧૮ને રવિવારના રોજ હ્યુસ્ટનના પ્રેક્ષા મેડીટેશન સેન્ટરના હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ બેઠકના અતિથિ વિશેષ હતાં ‘વિશ્વપ્રવાસિની અને કવયિત્રી પ્રીતિબેન સેનગુપ્તા.    ગુડી પડવાના પવિત્ર પર્વની બપોરે, બરાબર ૨ અને ૧૦ મિનિટે  સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નિતીન વ્યાસે કાર્યક્રમની શરુઆત કરી.સૌથી પહેલાં પ્રેક્ષા સેન્ટરના ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ સીમાબેન જૈને સેન્ટર વિશે માહિતી […]

One response so far

May 07 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૪ અહેવાલ

                                     ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૪મી બેઠક, શનિવાર તારીખ ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ બપોરે ૨ થી ૬ દરમ્યાન બ્રૂક્સ સ્ટ્રીટ સ્યુગરલેન્ડ પર આવેલા રીક્રીએશન સેન્ટર ખાતે યોજવામાં આવી હતી.. કાર્યક્રમની શરૂઆત શ્રીમતિ રક્ષાબેન એચ. પટેલે મા સરસ્વતીની વંદનાથી કરી […]

One response so far

Feb 18 2018

ગુ સા સ મીટીંગ # ૧૮૨નો અહેવાલ

                    ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક ક્રમાંક ૧૮૨ નો અહેવાલ.                                                 બેઠકનું  આયોજન 12 મી ફેબ્રુઆરીનાં રોજ ઇમ્પિરિઅલ પાર્ક નાં હોલમાં  સુગર લેન્ડ ખાતે કરવામાં […]

One response so far

Jan 07 2018

ગુજરાતી સા. સ. બેઠક # ૧૮૧ અહેવાલ

      ગુ.સા.સ.ની બેઠકનો અહેવાલ–દેવિકા ધ્રુવ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની, વર્ષ ૨૦૧૮ની પ્રથમ બેઠક (૧૮૧મી બેઠક) ૬ઠ્ઠી જાન્યુ. શનિવારની બપોરે, ૧૨.૩૦થી ૨.૩૦ દરમ્યાન સુગરલેન્ડના ઍલ્ડ્રીજ પાર્ક કોમ્યુનીટી સેન્ટરના હોલમાં  યોજાઈ ગઈ.  બેઠકનું સંચાલન શ્રીમતિ શૈલાબેન મુન્શાએ સંભાળ્યું હતું.  શ્રી નિખિલભાઈ મહેતાની સાથે સરસ્વતીના શ્લોકથી સામૂહિક પ્રાર્થના કર્યા બાદ, સંસ્થાના પ્રમુખ શ્રી.સતીશ પરીખે આવકાર પ્રવચન સાથે કેટલીક જરૂરી સૂચનાઓ, અગત્યની જાહેરાતો અને  આગામી બેઠકો અંગેની માહિતી […]

9 responses so far

Dec 31 2017

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક # ૧૮૦

                                                       અહેવાલ ડો. ઇન્દુબેન શાહ                                                  […]

3 responses so far

Dec 10 2017

મીટીંગનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૯મી બેઠકનો અહેવાલ   શ્રી. નવીન બેન્કર-   ૧૮મી નવેમ્બરે બપોરે ૨ થી ૫ દરમ્યાન. સુગરલેન્ડના માલ્ટેજ રોડ પરના કોમ્યુનિટી સેન્ટર ખાતે, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૯મી બેઠક યોજવામાં આવી હતી.   સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતિષ પરીખે, ચાલુ માસમાં, બે સભ્યો-શ્રી.અશોક પટેલ અને શ્રીમતિ નીતાબેન મહેતાના દુઃખદ અવસાન અંગે માહિતી આપી અને […]

No responses yet

Sep 26 2017

ગુજરાતી સાહિત્ય સરિત બેઠક ૧૭૮

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૮મી બેઠકઃ અહેવાલ શૈલા મુનશા   ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૮મી બેઠક, સપ્ટેમ્બર ૧૭, ૨૦૧૭ રવિવારની બપોરે, સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમા યોજાઈ હતી.આ સાહિત્ય સભાનુ વિભાજન બે ભાગમાં કરવામાં આવ્યું હતું. પ્રથમ વિભાગનો દોર ગુ.સા.સ. ના પ્રમુખ શ્રી સતીશભાઈ પરીખે સંભાળ્યો હતો અને બીજાં વિભાગના સૂત્રધાર તરીકેની કામગીરી  શ્રીમતિ શૈલાબેન મુનશાએ સંભાળી હતી.  સૌથી પ્રથમ શ્રી સતીશભાઈ પરીખે સહુને આવકારતા સભાની શરૂઆત કરી અને નયનાબેન શાહે પ્રાર્થનાથી શુભારંભ કર્યો. ત્યારબાદ બે એરિયાના વડિલ શ્રી હરિકૃષ્ણદાદાના દુઃખદ અવસાન નિમિત્તે અને હરિકેન હાર્વીની તબાહીમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા તે નિમિતે બે મિનિટનું મૌન પાળવામા આવ્યુ હતું. શ્રી સતીશભાઈએ નાસાના અગ્રગણ્ય વૈજ્ઞાનિક અને તેમના અંગત મિત્ર/સહાધ્યાયી  શ્રી શ્રી કમલેશભાઈ લુલ્લાનો પરિચય આપતા ટુંકમા નીચે મુજબ જણાવ્યુ હતુ, ગુ.સા.સ.ના માનનીય, આદરણીય સભ્ય […]

No responses yet

Sep 01 2017

ગુ.સા.સ.ની ૧૭૭ મી બેઠક નો અહેવાલ

ગુ.સા.સ. ની બેઠક # ૧૭૭ નો અહેવાલ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૭મી બેઠક ,૧૯મી ઑગષ્ટ, ૨૦૧૭ને શનિવારે બપોરના ૩.૩૦ વાગે, સુગર લેન્ડના રીક્રીએશન સેન્ટરના હોલમાંયોજાઈ ગઈ. આ વખતે સાહિત્યિક ગોષ્ઠી/વાર્તાલાપ કે વક્તવ્યને બદલે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પ્રશાંત મુનશા દ્વારા એક સફળ અને સ્વચ્છ ગુજરાતી ફિલ્મ “Always સાથે  રહીશું” રજૂ કરવામાં આવી. બેઠકની  શરુઆતમા પ્રાર્થના શ્રીમતિ નયનાબેન શાહ ના સુમધુર કંઠે કરવામા આવી અને ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શ્રી સતિશભાઈએ આવેલા સૌ મેહમાનોનુ ભાવભીનુ સ્વાગત કર્યા બા્દ થોડી જરૂરી જાહેરાતો,માહિતી વગેરે ની ઔપચારિક વિધિ કરી. તે પછી શ્રી મુનશા દંપતિએ ફિલ્મ વિશેની વિગતો અને હેતુ સમજાવ્યો. તેમણે જણાવ્યું કે, “ મૂળ ગુજરાતના મોકાસણા ગામના વતની પણ હાલ મસ્કતના રહેવાસી લેખક શ્રી રીતેશ મોકાસણા દ્વારા લખાયેલ પુસ્તક “મારી ઉંમર તને મળી જાય” પરથી આ ફિલ્મ ઉતારવામાં આવી છે. તેના પ્રોડ્યુસર–નિર્માતા રીતેશભાઇ અને દિગ્દર્શન શ્રી યુવરાજ જાડેજાનું છે.” ગુ.સા.સ. ની કમિટિ ના સહયોગથી શ્રી પ્રશાંતભાઈ એ તમામ જવાબદારી અને પ્રસારણનું આયોજન કર્યું હતું જેમાં સંસ્થાના અન્ય સભ્યોએ પણ પૂરતો સહકાર આપ્યો હતો.   ફિલ્મની વાર્તાવસ્તુનો સાર આ પ્રમાણે હતો કે, હોસ્પીટલના એક રૂમમાં, કેન્સરની માંદગીને બિછાને પડેલી એક યુવતી ડોક્ટરને જોતાં પોતાના શાળાદરમ્યાનના જૂના દિવસોમાં પહોંચી જાય છે. ડોક્ટર પણ પોતે લખેલા પત્રની યાદો સાથે પ્રેમિકાને સાજી કરવા દિવસ–રાત રીસર્ચ કરવા મંડી પડે છે.દવાની શોધ હાથ લાગતાં જ, દવાખાનાના નીતિ–નિયમોને બાજુએ મૂકીને અમેરિકા જઈ,દવા મેળવી ઉપચાર શરુ કરે છે. કમનસીબે શરુઆતમાં ઊંધીઅસર થતાં યુવતીની જાન જોખમાય છે, કાબેલ ડોક્ટર  બુધ્ધિ અને હ્રદયનો કાબૂ ગુમાવી બેસે છે, પાગલ બની જાય છે,યાદશક્તિ જતી રહે છે.. પણથોડા વખતમાં ચમત્કારિક રીતે દવા અસર કરતી જાય છે અને યુવતી જેનું નામ શીતલ છે તે બચી જાય છે. અંતે તે છોકરી જ મનોવૈજ્ઞાનિક રીતે ડોક્ટરનેપાગલપણામાંથી બહાર લાવે છે અને શિર્ષક “હંમેશા સાથે જ રહીશું સાથે ” સાર્થક થાય છે.   વાર્તા–વસ્તુ સારી અને હેતુલક્ષી હતી. કલાકારો નવા છતાં પોતાના પાત્રોને ઠીકઠીક ન્યાય આપ્યો. સંવાદોની અસરકારકતા, નાટકીય અને ઓછીસ્વાભાવિક લાગવાથી, ઊણી રહી.વચ્ચે વચ્ચે આવતી કોમેડી હળવી અને મનોરંજક હતી.એકાદ બે વાતો વિરોધાભાસી અને પ્રશ્નાર્થરૂપ લાગી. ૧૨ માંધોરણમાં એટલે કે,૧૫–૧૬ વર્ષની ઉંમરે મળેલા મિત્રોના ચહેરા પરથી તરત ઓળખાણ ન પડે તે વાત જરા ગળે ન ઉતરી અને  બીજી વાત એ કે, હજી તોદવાની શોધ હાથ લાગે તે ક્ષણે જ “હું આવતીકાલે અમેરિકા જાઉં છું” એ આખી વાત અનેક પ્રશ્નાર્થ ઊભા કરી ગયાં. જો કે, આ ફિલ્મમાં ટાયલાં ગીતો કેચીલાચાલુ નકામુ મનોરંજન ન હોવાને કારણે નાના મોટાં સૌની સાથે બેસીને માણી શકાય તેવું સ્વચ્છ લાગ્યું. એમાં ચોક્કસપણે સમાજ માટે આશાસ્પદસંદેશ અને ધંધાકિય બની બેઠેલી હોસ્પીટલો માટે પરિવર્તનનો ખૂબ જરૂરી સૂર સાંભળવા મળે છે. ૬.૦૦ વાગે ફિલ્મ શો પૂરો થતાં સૌ એક વિશિષ્ટ પ્રકારનુ મનોરંજન […]

No responses yet

Jul 29 2017

ગુ.સા.સની બેઠક # ૧૭૬ નો અહેવાલ

  ગુ.સા.સ.ની બેઠકનો અહેવાલ-જુલાઈ ૨૦૧૭. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૬મી બેઠક, શનિવાર ને ૨૨મી જુલાઈ ૨૦૧૭ ની સાંજે, ૪ થી ૭ દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં  યોજાઈ ગઈ.  બેઠકનું સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નિતીનભાઈ વ્યાસે સંભાળ્યું હતું. ભાવનાબેન દેસાઈએ સરસ્વતીના શ્લોકથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રમુખ શ્રી. સતીશ પરીખે આવકાર પ્રવચન સાથે કેટલીક જરૂરી સૂચનાઓ,અગત્યની જાહેરાતો અને  આગામી બેઠકો અંગેની […]

No responses yet

May 31 2017

ગુજરતી સાહિત્ય સરિતા ૧૭૫ મી બેઠક

                                                                                                              […]

No responses yet

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.